બાબરી વિધ્વંસ કેસ મામલે લખનૌની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ચૂકાદો આપ્યો છે. બાબરી ધ્વંસ મામલે CBIની વિશેષ કોર્ટે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. 6 ડિસેમ્બર 1992ના દિવસે થયેલી ઘટનાને કોર્ટે પૂર્વનિયોજીત ન હોવાનું જણાવ્યું છે. લાલ કૃષ્ણ અડવાણી, ભાજપના પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોશી, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર સહિત 32ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
અડવાણી,મુરલીમનોહર જોશી,ઉમા ભારતી નિર્દોષ જાહેર
વિનય કટિયાર,ચંપત રાય,સાધ્વી ઋતુંભરા નિર્દોષ જાહેર
કલ્યાણસિંહ,સાક્ષી મહારાજ,બ્રજ ભૂષણ,લલ્લુસિંહ પણ નિર્દોષ જાહેર
બાબરી મસ્જિદ કેસમાં સીબીઆઇ કોર્ટે સૌથી મોટો ચુકાદો આપ્યો છે. સીબીઆઇ કોર્ટે તમામ આરોપીને નિર્દોષ છોડી દીધા છે. 28 વર્ષ પહેલાં 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં કારસેવકોએ બાબરી મસ્જિદની ઇમારત તોડી પાડી હોવાનો આરોપ લાગ્યો. જેમાં ઇમારત તોડી પાડવાનો આરોપ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 48 લોકો પર લગાવવામાં આવ્યો હતો. તેમાંથી 16 લોકોનાં નિધન થઈ ગયાં છે.
ત્યારે CBIની સ્પેશિયલ કોર્ટ 32 આરોપીઓનો નિર્દોષ છોડી દીધા છે. કોર્ટે કહ્યું કે આ ઘટના અચાનક થઇ હતી. પૂર્વ આયોજિત નહોતી. ફોટો હોવાથી કોઇ આરોપી ન થઇ જાય. ફોટો અને વીડિયોનો સાક્ષ્ય સ્વીકાર નથી. કેટલાક લોકોએ ભીડને રોકવા પ્રયાસ કર્યો હતો. ફરિયાદી પક્ષ આરોપીઓ સામે નક્કર પુરાવા ન આપી શક્યો.
કોર્ટે કહ્યું કે અશોક સિંધલ માળખુ સુરક્ષિત રાખવા માગતા હતા. મૂર્તિઓ હોવાથી તેઓ માળખું સુરક્ષિત રાખવા માગતા હતા. એટલે સમાચાર પત્રોમાં લખેલી વાતો સાક્ષી ન માની શકાય. અને કાર સેવકોના બંન્ને હાથ વ્યસ્ત રાખવા જળ-ફૂલ લાવવા કહેવાયું હતું.
વિવાદિત માળખું તોડી પાડવા મામલે કુલ 49 આરોપીના નામ ચાર્જશીટમાં છે. જેમાંથી 17 આરોપીઓના મોત થઈ ચૂક્યાં છે. આ કેસમાં 32 આરોપીઓના નિવેદનો પર ચૂકાદો સંભળાવવામાં આવશે.
ક્યારે શું થયું ?
કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવાયા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું ધ્વસ્ત કરવા બદલ FIR દાખલ થઈ હતી. બાલા સાહેબ ઠાકરે, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર સહિત 17 આરોપીના નિધન થઈ ચૂક્યા છે. 32 આરોપીઓના નિવેદન પર ચુકાદો આવશે.
6 ડિસેમ્બર 1992ના રોજ શું થયું ?
6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કારસેવાની મંજૂરી સુપ્રીમ કોર્ટ પાસે માંગવામાં આવી હતી. કહેવાયું હતું કે રામભક્ત ચબૂતરા પર સરયૂનુ જળ એક મુઠ્ઠી માટી ચડાવશે. તત્કાલિન ભાજપ સરકારે કહ્યુ હતું કે કારસેવક માત્ર કારસેવા કરી પાછા ફરશે. પરંતુ લાખોની સંખ્યામાં રામભક્તોએ વિવાદિત માળખાને ધ્વસ્ત કર્યું હતુ. માળખુ ધ્વસ્ત કરાયા બાદ તત્કાલિન કલ્યાણ સિંહ સરકારે રાજીનામું આપ્યું હતુ. સરકારે વિવાદિત માળખુ ધ્વસ્ત કરવાને લઈને તપાસના આદેશ આપ્યાં હતા. પહેલાં CB-CIDએ તપાસ કરી, પછી CBIને તપાસ સોંપવામાં આવી હતી.