વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને પત્ર લખીને એક દિવસના વિધાનસભાના વિશેષ સત્રની માગ કરી છે. ફી ઘટાડો પાટીદાર દમન નર્મદા અને ખેડૂતોના દેવા માફી મુદ્દે વિશેષ સત્રની માગ કરી છે.
પાટીદારો પર થયેલ દમન મામલે કોઁગ્રેસ અગ્રણી અને વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી દ્રારા CM રૂપાણીને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં એક દિવસનું વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરવામાં આવી છે. પાટીદાર પંચાયતની લાગણી CM સુધી પહોંચાડવા પત્ર લખ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
પરેશ ધાનાણી દ્વારા સીએમને લખાયેલા પાત્રમાં ખેડૂતોના દેવા માફ કરવા બાબતે પણ લખવામાં આવ્યું છે આ સાથે ફ્રી ભરવાના મુદ્દાને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ મહત્વનો બનાવ્યો છે. આ ઉપરાંત 12 જેટલા મુદ્દાઓ પર પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીએ જાણ કરી છે.