બ્રાઝીલમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. જેથી અહિયા કુલ 78 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. હજુ પણ લોકો કાટમાળ નીચે દબાયેલા છે જેમના માટે બચાવ કાર્ય કરવામાં આવી રહ્યા છે.
બ્રાઝિલમાં વરસ્યો કુદરતનો કહેર
વરસાદને કારણે થયું ભૂસ્ખલ
ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 78 લોકોના મોત
બ્રાઝીલના રિયો ધ જિનરિયો રાજ્યના પર્વતીય ક્ષેત્રમાં આજે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનો બનાવ બન્યો છે. જેમા ઘણા લોકોના મોત થયા છે. સ્થાનીક મીડિયાના રિપોર્ટ પ્રમાણે 78 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. સ્થાનિક અધિકારીઓ એવી માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં સૌથી વધારે પેટ્રોપોલિસ વિસ્તાર પ્રભાવિત થયો છે. જેથી ત્યા રાહત અને બચાવ અભિયાન અત્યાર કરવામાં આવી રહ્યું છે.
21 લોકોને બચાવામાં આવ્યા
અત્યાર સુધીમાં કુલ 21 લોકોને સુરક્ષીત રીતે બચાવામાં આવ્યા છે. 2011માં પણ બ્રાઝીલમાં આવોજ વરસાદ થયો હતો તે સમયે ઘણા લોકોના મોત થયા હતા. પરંતુ હાલ અહિયા હાલત એટલી ગંભીર છે કે કાટમાળ નીચે દબાયેલા લોકો મદદ માટે અવાજ આપી રહ્યા છે. પરંતુ કોઈ કશું કરી નથી શકાતું.
180 જવાનો બચાવ કાર્યમાં લાગ્યા
પાણી અને માટીને કારણે કાટમાળ બધો વધારે અંદર ધસતો જઈ રહ્યો છે. જે પણ જગ્યાએ આવી સ્થિતી છે. ત્યા આસપાસના રાજ્યો દ્વારા મદદ મોકલવામાં આવી રહી છે. આ સિવાય 180 જેટલા આર્મી જવાનો પણ લોકોની મદદ કરી રહ્યા છે. જેમા તેઓ બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે.
રાષ્ટ્રપતિએ મંત્રીઓને આપ્યા આદેશ
ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે. ત્યા એક કલાકમાં 25.8 સેંટીમીટર વરસાદ પડ્યો છે. જે 30 દિવસ બરોબરનો વરસાદ છે. સમગ્ર મામલે રશિયાની યાત્રાએ ગયેલા બ્રાઝીલના રાષ્ટ્રપતિ જદેયર બોલસોનારો દ્વારા ટ્વીટ કરીને તેમના મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે વરસાદને કારણે જે પણ વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યા જલ્દીથી જલ્દી મદદ મોકલવામાં આવે.