ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની તૈયારી સમગ્ર દેશમાં ચાલી રહી છે. આ વખતે શ્રીકૃષ્ણની 5245મી જંયતી છે. માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમી આઠમે થયો હતો. જોકે આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીની તારીખને લઇને લોકોમાં ઘણી અસમંજસ છે. આ વર્ષે જન્માષ્ટમી 2 દિવસ આવી રહી છે. 2 સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી મંદિરો અને બ્રાહ્મણોના ઘરે ઉજવવામાં આવશે જ્યારે 3 સપ્ટેમ્બરના રોજ એટલે કે બીજા દિવસે વૈષ્ણવ સંપ્રદાયના લોકો જન્માષ્ટમીની ઉજવણી કરશે.
આ વખતે આઠમ 7 સપ્ટેમ્બર રાત્રે 8:47 વાગ્યાથી શરૂ થાય છે જે સપ્ટેમ્બર સાંજે 7:20 વાગ્યાથી પૂરી થાય છે. રોહિણી નક્ષત્રનો પ્રાંરભ 2 સપ્ટેમ્બર રાત્રે 8:47 વાગ્યાથી 3 સપ્ટેમ્બરની રાત્રે 8:20 વાગ્યે સમાપ્ત થાય છે. આઠમના રોજ પૂજા કરવાનો યોગ્ય સમય 2 સપ્ટેમ્બરની રાત્રે 11:57 વાગ્યાથી રાત્રે 12:48 મિનિટ સુધીનો છે. વ્રતના પારણા 3 સપ્ટેમ્બરની રાત્રે 8:05 પછી કરવા જોઇએ.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું સંપૂર્ણ ભારતમાં મહત્વ છે. આ હિંદુઓના મુખ્ય તહેવારો માંથી એક છે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના પાલનહાર શ્રીહરિ વિષ્ણુએ શ્રીકૃષ્ણના રૂપમાં આઠમો અવતાર લીધો હતો. દેશમાં તમામ રાજ્યો અલગ-અલગ રીતે આ મહાપર્વની ઉજવણી કરે છે. આ દિવસે બાળકોથી લઇને વડીલો કૃષ્ણના જન્મની ખુશી વ્રત રાખે છે અને કૃષ્ણના મહિમાનું ગુણગાન કરે છે. દિવસભર મંદિરોમાં ભજન-કિર્તન કરવામાં આવે છે.