કેરળ દુર્ઘટના / પાયલટ પતિનો મૃતદેહ જોતાં જ ગર્ભવતી પત્નીનાં મોઢેથી નીકળ્યાં આ શબ્દો અને થઈ બેહોશ

kozhikode plane crash co pilot akhilesh kumar cremated in hometown mathura pregnant wife finally told he is no more

એર ઈન્ડિયા વિમાનની દુર્ધટનામાં મથુરાના કો પાઈલટ અખિલેશ કુમાર ભારદ્વાજના પરિવાર પર આભ તુટી પડ્યું છે. પાયલટના પાર્થિવ દેહને રવિવારે મથુરા સ્થિત ગોવિંદ નગર લાવવામાં આવ્યા હતા. હૈયાફાળ રુદનની વચ્ચે અખિલેશના અંતિમ સંસ્કાર તેમના પૈતૃક ગામમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અખિલેશની ગર્ભવતિ પત્ની મેઘા બેભાન થઈ ગઈ હતી. પરિવારે તેમને અખિલેશની ઘટના અંગે જણાવ્યું નહોતું. પતિના મૃતદેહને જોઈ તેને વિશ્વાસ આવી રહ્યો નહોતો કે હવે તેના પતિ આ દુનિયામાં નથી રહ્યા. તે લોકોને પુછતી રહી કે આ કોણ છે મેઘાના સવાલોથી દરેકના દિલ ચીરાઈ રહ્યા હતા. તેઓ દુઃખમાં વધારે ગરકાવ થઈ રહ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ