આપણા શાસ્ત્રોમાં ગોત્રનું ખૂબ જ મહ્તવ છે. ખાસ કરીને પૂજા પાછ અને લગ્નના સમયે ગોત્રની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. હિંદુ રીત રિવાજ અનુસાર જો કોઇ સાથે લગ્ન કરવા છે તો ગોત્ર જાણ્યા વગર કરવા જોઇએ નહીં. જો એક જ ગોત્રના છોકરો અને છોકરી મળી જાય છે તો લગ્ન થતા નથી. ચલો જાણીએ આપણા સમાજમાં ગોત્રને એટલું મહત્વ કેમ આપવામાં આવે છે અને એની પાછળનું મુખ્ય કારણ...
હિંદુ ધર્મમાં જો એક જ ગોત્રના છોકરા અને છોકરી બંને હોય છે તો એમના લગ્ન કરાવવામાં આવતા નથી કારણ કે આપણા ધર્મમાં એક ગોત્રના લોકો ભાઇ બહેન માનવામાં આવે છે. એટલા માટે પતિ પત્ની બની શકે નહીં.
એક ગોત્રમાં લગ્ન કરવા પાછળ એવું પણ કારણ જણાવવામાં આવ્યું છે જો એક ગોત્રમાં લગ્ન થાય છે અને જે બાળક પેદા થાય છે એની અંદર કેટલીક વિકૃતિઓ આવી જાય છે. એટલા માટે એક ગોત્રમાં લગ્ન કરાવવામાં આવતા નથી.
હિંદુ ધર્મમાં જ્યારે છોકરા છોકરીના લગ્ન કરવામાં આવે છે તો એક નહીં પરંતુ ત્રણ ગોત્રને છોડીને લગ્ન કરવામાં આવે છે. માતા પિતા અને દાદીના ગોત્રને છોડીને જે પણ અન્ય ગોત્ર મળે એમાં લગ્ન કરવામાં આવે છે. આ ત્રણ ગોત્રમાં લગ્ન કરતા નથી.
માન્યતા છે કે કોઇ નજીકના સંબંધીમાં પણ લગ્ન કરવાથી બાળકોની અંદર જે જમ્સ બને છે, એમાં કેટલીક ખામીઓ હોય છે જેના કારણે બાળકોનો વિકાસ યોગ્ય રીતે થઇ શકતો નથી.