RBIએ 1 ઑગસ્ટથી બેંકિંગના નવા નિયમો જાહેર કર્યા છે. તેથી ચેકના માધ્યમથી પેમેન્ટ કરતાં પહેલા પણ સાવધાની રાખવી જરૂરી છે.
RBIએ બેંકિંગના નવા નિયમો જાહેર કર્યા
1 ઑગસ્ટથી નવા નિયમો લાગુ
ચેક આપતા પહેલા આ નિયમોનું રાખજો ધ્યાન
જો તમે ચેકના માધ્યમથી પેમેન્ટ કરો છો તો કોઇપણ વ્યક્તિને ચેક આપતા પહેલા સાવધાની રાખજો. ભારતીય રિર્ઝવ બેંક (RBI)એ 1 ઑગસ્ટથી બેન્કિંગ નિયમોમાં બદલાવ કર્યા છે. કેન્દ્રીય બેંકે હવે 24 કલાક બલ્ક ક્લિયરિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ મહિનાથી નેશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)24 કલાક કામ કરી રહ્યું છે.
નેશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH)એ NPCI દ્વારા સંચાલિત એક બલ્ક પેમેન્ટ સિસ્ટમ છે. આ ડિવિડેંડ, વ્યાજ, વેતન અને પેન્શનની ચૂકવણી જેવા એકથી વધુ ક્રેડિટ ટ્રાંસફરની સુવિધા આપે છે. આ વીજળી, ગૅસ, ટેલિફોન, પાણી, લોનના હફ્તા, મ્યુચ્યુલ ફંડમાં નિવેશ અને પ્રીમિયમ સંબંધિત ભુગતાનના કલેક્શનની સુવિધા આપે છે.
શું સાવચેતી રાખશો?
હવે જ્યારે (NACH) દરરોજ કામ કરે છે ત્યારે ચેકના માધ્યમથી પેમેન્ટ કરવામાં ચેક બાઉન્સ ન થાય તેની સાવચેતી વધુ રાખવી પડશે. કારણકે ચેક નોન-વર્કિંગ ડે અને રજાઓ પર પણ ક્લિયરિંગ માટે જઇ શકે છે. તેથી ચેક આપતા પહેલા એ સુનિશ્ચિત કરો કે તમારા બેંક ખાતામાં પર્યાપ્ત રકમ છે કે નહીં, નહીંતર તમારો ચેક બાઉન્સ થશે અને તેના પર તમારે પેનલ્ટી ચાર્જ પણ ભરવો પડશે.
મોટી રકમના ચેક માટે નવા પેમેન્ટ નિયમ
RBIએ જાન્યુઆરી 2021માં ચેક આધારિત લેણદેણની સુરક્ષા વધારવા એક 'પોઝિટિવ પે સિસ્ટમ' લાગુ કરી છે. જેમાં 50,000થી વધુ રૂપિયાની ચૂકવણી માટે માહિતીની ફરી ચકાસણી કરવાની જરૂર પડે છે. આ પ્રક્રિયામાં ચેકની ચૂકવણી કરનાર વ્યક્તિ તે ચેક સંબંધિત માહિતી ફરીથી આપે છે જેમાં ચેક નંબર, ચેક ડેટ, ચેક રિસીવરનું નામ, ખાતા સંખ્યા, રકમ, વગેરે સમાવિષ્ટ છે.