કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. દેશમાં કોરોનાને કારણે હોસ્પિટલ ઉભરાવા લાગી છે. તો સામે ટેસ્ટિંગ કિટની પણ અછત વર્તાઈ રહી છે. એવામાં સરકારે પોતાની કોરોના સામે લડવાની રણનીતિ બદલવી પડી છે. સરકારે હવે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં દર્દીઓના ટેસ્ટ ઓછા કરવા ઉપરાંત તેમને વહેલી તકે રજા આપવાની વાત કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને હવે રાજ્યમાં કુલ કેસનો આંકડો 7790ને પર પહોંચી ગયો છે. તો રાજ્યમાં 219 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 23 દર્દીના મોત થયા છે..જો કે, છેલ્લા 7 દિવસની સરખામણીએ મૃત્યુઆંક ઘટ્યો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ છે. દેશમાં કોરોનાને કારણે હોસ્પિટલ ઉભરાવા લાગી છે. તો સામે ટેસ્ટિંગ કિટની પણ અછત વર્તાઈ રહી છે. એવામાં સરકારે પોતાની કોરોના સામે લડવાની રણનીતિ બદલવી પડી છે. સરકારે હવે નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં દર્દીઓના ટેસ્ટ ઓછા કરવા ઉપરાંત તેમને વહેલી તકે રજા આપવાની વાત કરવામાં આવી છે.
સ્વાસ્થ્ય-પરિવાર કલ્યાણ વિભાગે પોલિસીમાં ધરખમ ફેરફાર કર્યા છે. જેમાં લક્ષણ નહીં હોય તેવા દર્દીઓ હવે 10 દિવસમાં ડિસ્ચાર્જ થઇ શકશે. અને સામાન્ય કેસોમાં ડિસ્ચાર્જ અગાઉ દર્દીનો કોરોનાનો ટેસ્ટ નહીં થાય. આ ઉપરાંત કોવિડ કેર ફેસિલિટીમાં દર્દીનું ટેમ્પરેચર, ઓક્સિમેટ્રી મોનિટરિંગ થશે અને 3 દિવસ સુધી લક્ષણો નહીં દેખાતા દર્દીઓ 10 દિવસમાં ડિસ્ચાર્જ થશે. આ ઉપરાંત દર્દીનું ઓક્સિજન સેચ્યુરેશન 95 ટકાથી નીચે જશે તો CDCમાં ખસેડાશે અને ડિસ્ચાર્જ બાદ દર્દીઓનો હોમઆઈસોલેશન સમયમાં પણ ફેરફાર કરાશે. જેમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ દર્દીઓએ હવે 7 દિવસ આઈસોલેટ રહેવું પડશે. અગાઉ ડિસ્ચાર્જ દર્દીઓને હોમ આઈસોલેશન 14 દિવસ સુધી રખાતા હતા. અને 14માં દિવસે દર્દીનું ટેલિ-કોન્ફ્રન્સના માધ્યમથી તબીબ ફોલોઅપ લેશે.
આંકડાકિય માહિતી
જિલ્લા
પોઝિટિવ કેસ
સાજા થયા
મૃત્યુ
Ahmedabad
5540
1107
363
Baroda
493
250
31
Surat
854
435
38
Rajkot
66
26
1
Bhavnagar
94
27
6
Anand
77
46
6
Bharuch
28
25
2
Gandhinagar
119
20
5
Patan
24
15
1
Panchmahal
59
9
4
Banaskantha
77
25
3
Narmada
12
12
0
Chhota Udepur
14
13
0
Kutch
7
5
1
Mehsana
42
8
1
Botad
53
13
1
Porbandar
3
3
0
Dahod
20
2
0
Gir Somnath
4
3
0
Kheda
29
4
1
Jamnagar
23
0
2
Morbi
1
1
0
Sabarkantha
17
3
2
Arvalli
71
16
2
Mahisagar
44
8
1
Tapi
2
2
0
Valsad
6
4
1
Navsari
8
7
0
Dang
2
1
0
Surendranagar
1
1
0
Devbhoomi Dwarka
4
0
0
Junagadh
2
0
0
Other State (Rajasthan)
1
0
0
TOTAL
7797
2091
472
રાજ્યની સરકારી યુનિવર્સિટી અને કોલેજોમાં 20મી જૂન સુધી વેકેશન
રાજયમાં કોરોના કેસ વધી રહ્યા છે,તેમાં પણ અમદાવાદમાં સ્થિતિ વધારે નાજુંક હોવાથી તે ચેપ અન્ય શહેરોમાં પણ ફેલાઇ રહ્યો છે. આથી કોરોનાના મહામારી વચ્ચે કોલેજોનું તા. 16મી મેના રોજ પુરું થનારું વેકેશન ખોલવામાં આવે તો વધુ કેસનો ફેલાવો થાય તેમ છે. વળી,સમગ્ર દેશમાં લોકડાઉન તા. 17મી મે સુધી છે. આવા સંજોગોમાં રાજય સરકારે તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તે સંલગ્ન કોલેજોમાં ઉનાળું વેકેશન તા. 20મી જૂન સુધી રાખવાનો નિર્ણય લીધો છે.
તબીબો-મેડિકલ સ્ટાફનો પગાર વધશે
ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે રાજ્યમાં જે પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ હાલ કામ કરી રહ્યો છે અને કોરોનાના દર્દીઓની સેવામાં રોકાયો છે તેમને વધારાનું વળતર ચૂકવવામાં આવશે. તબીબોને 25,000, નર્સિંગ અને અન્ય પેરામેડિક સ્ટાફને 15,000 જ્યારે અન્ય ટેકનિશિયન કે વોર્ડના કર્મચારીઓને 10,000 પ્રતિમાસ વળતર અપાશે.