કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું માનવામાં આવે તો તેઓ પહેલાંથી જ એ વાતની વિરુદ્ધમાં છે કે કોરોના વાયરસ સંક્રમણ કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં પહોંચી ચૂક્યું છે. કોરોનાના અત્યારના આંકડાના વિશ્લેષણથી સરકારના ખોટા દાવાની પોલ ખૂલી રહી છે. સરકારની દલીલ છે કે દેશની આબાદીના આધારે સંક્રમણની સંખ્યાના આધારે કમ્યુનિટી ટ્રાન્સમિશન સાબિત થતું નથી. વિશેષજ્ઞોની દલીલ કહે છે કે જ્યારે તમે સંક્રમણના કોન્ટેક્ટ ટ્રેસ કરી શકતા નથી તો આ સ્ટેજ ખતરનાક બને છે.
દેશમાં કોરોનાનું કમ્યુનિટી સ્પ્રેડ શરૂ
સરકારના ખોટા દાવાની પોલ ખોલે છે આંકડા
સરકારનો દાવો છે કે કમ્યુનિટી ટ્રાન્સમિશન સાબિત થયું નથી
ભારતમાં અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ આવ્યા છે. દેશમાં એક જ દિવસમાં 48 હજાર 932 કેસ નોંધાયા છે. અને 24 કલાકમાં 704 લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં હજુ પણ 4 લાખ 84 હજારથી વધુ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 9 હજાર 431 કેસ નોંધાયા છે તો અહીં કુલ 3.75 લાખથી વધુ કેસ નોંધાયા છે. તમિલનાડુમાં 2.13 લાખ, દિલ્લીમાં 1.30 લાખથી વધુ કેસ છે. આંધ્રપ્રદેશમાં 96 હજાર અને ઉત્તરપ્રદેશમાં 66 હજારથી વધુ કેસ આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોનાના 55 હજારથી વધુ કેસ નોંધાયા છે તો અન્ય તરફ તેલંગાણામાં 54 હજાર અને બિહારમાં 38 હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. અનેક આંકડા અને રિપોર્ટના આધારે કહેવાયું છે કે શા માટે અને કેવી રીતે સરકાર સત્યને સ્વીકારવાથી પાછી પડી રહી છે. આ સમયે દેશભરમાં છેલ્લા એક અઠવાડિયાના આંકડાથી ખ્યાલ આવે છે કે ઓછામાં ઓછા 3 રાજ્યોમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનની મનાઈ કરવી અથવા તેને સ્વીકારવું નહીં એ મૂર્ખતા હશે.
કયા રાજ્યોએ સ્વીકાર્યું કે કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું છે
કેરળ એક એવું રાજ્ય છે જેણે સૌથી પહેલાં કોરોના પર કાબૂ મેળવ્યો છે અને એક મિસાલ કાયમ કરી છે. સંક્રમણના અન્ય રાઉન્ડ બાદ મુખ્યમંત્રી પી. વિજયનને માન્યુ કે રાજ્યમાં કમ્યુનિટી સ્પ્રેડની સ્થિતિ શરૂ થઈ શકે છે. થોડા દિવસ પહેલાં જ તેલંગાણાએ પણ ઝડપથી વધતા આંકડાને લઈને કહ્યું કે આ સ્થિતિ હોઈ શકે છે પણ સ્પષ્ટ રીતે કંઈ કહી શકાય તેમ નથી.