બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kheda news stone pelting on shivaji sobhayatra at thasra
Malay
Last Updated: 09:37 AM, 16 September 2023
Kheda News: ખેડાના ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારા બાદ અત્યારે સ્થિતિ કાબૂમાં છે. શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બાદ જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયા એક્શનમાં આવી ગયા હતા અને પોલીસકર્મીઓને કડક આદેશ આપી દીધા હતા. જે બાદ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન કોમ્બિંગ શરૂ કર્યુ હતું. પોલીસે મોડી રાતે 6 પથ્થરબાજોને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસની ટીમે 10 જેટલા શંકમંદોને પણ રાઉન્ડઅપ કર્યા હતા. પોલીસે હાલ ચાંપતો બંદોબસ્ત બનાવ સ્થળે ગોઠવી દીધો છે. જેના કારણે કર્ફ્યૂ જેવો સન્નાટો છવાયો છે.
શું બન્યો હતો બનાવ?
ગઈકાલે એટલે શ્રાવણ મહિનાની અમાસના રોજ ઠાસરામાં નાગેશ્વર મહાદેવજીની વાજતેગાજતે શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલ સાથે નીકળેલી શોભાયાત્રા બપોરના સમયે જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી. ત્યારે એકાએક શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પથ્થરમારાના બનાવમાં બે પોલીસ કેન્સ્ટેબલ અને એક પીએસઆઈને ઈજાઓ પહોંચી હતી. તો બે વાહનોને પણ નુકસાન થયું હતું.
પોલીસનો કાફલો દોડી આવ્યો હતો ઘટનાસ્થળે
આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લાની એલસીબી, એસઓજી પોલીસનો કાફલો ઠાસરા આવી પહોંચ્યો હતો. તો જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને ડીવાયએસપી વી.આર. બાજપાઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.
અસામાજિક તત્વો દ્વારા કરાયો પથ્થરમારોઃ રાજેશ ગઢિયા
આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, શોભાયાત્રામાં અંદાજીત 700થી 800 લોકો હતા. જેમાં લોકલ પોલીસ સાથે ડિવિઝન પોલીસનો બંદોબસ્ત પણ હતો. આ શોભાયાત્રા ઠાસરા નગરના તીનબત્તી વિસ્તાર પાસે આવતા ત્યાં અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આથી ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.
પોલીસે શરૂ કર્યું હતું કોમ્બિંગ
જે બાદ પોલીસે ઠાસરા શહેરના વિવિધ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી પથ્થરમારો કરનારાઓની શોધખોળ આદરી હતી. પોલીસે મોડીરાતે 6 પથ્થરબાજની ધરપકડ હતી. જ્યારે 10 જેટલા શકમંદોની અટકાયત હતી.
અગાઉ ક્યારે ક્યારે બબાલ થઈ હતી
ઓગસ્ટ 2021
ઠાસરામાં ઝુલુસ કાઢવા બાબતે બબાલ
લોકોએ પોલીસ ઉપર કર્યો હતો પથ્થરમારો
પોલીસ વાહનોને પહોંચાડ્યું હતું નુકસાન
આગચંપીના બનાવ બન્યા હતા
ઓક્ટોબર 2022
માતરના ઉઢેલામાં ગરબા રમવા બાબતે બબાલ
ગરબા રમતા ટોળા ઉપર પથ્થરમારો
6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા
બે પોલીસ જવાનોને પણ થઈ હતી ઈજા
એપ્રિલ 2022
રામનવમીના દિવસે શાંતિ ડહોળવાનો પ્રયાસ
ઠાસરાના સાંઢેલીમાં થઈ હતી બબાલ
બે અલગ ઘટનાને જોડીને ઉશ્કેરણીજનક વીડિયો બનાવ્યો હતો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army