દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે. કેરળના કેસ ચિંતા વધારી છે.
રાજ્યમાં ઘરોમાં રહેતા લોકોમાં પણ કોરોનાની સ્પીડ વધી ગઈ- વીના જોર્જ
કેરળમાં સંક્રમણ દર વધીને 19 થયો
કેરળની સ્થિતિને કન્ટ્રોલ કરવામાં ન આવી તો બીજા રાજ્યો પર આની અસર પડી શકે
રાજ્યમાં ઘરોમાં રહેતા લોકોમાં પણ કોરોનાની સ્પીડ વધી ગઈ- વીના જોર્જ
કેરળની સ્વાસ્થ્ય મંત્રી વીના જોર્જે પણ કહ્યું કે રાજ્યમાં ઘરોમાં રહેતા લોકોમાં પણ કોરોનાની સ્પીડ વધી ગઈ છે. હેલ્થ ડિપાર્ટમેન્ટની સ્ટડી મુજબ 35 ટકા દર્દી ઘરની અંદર સંક્રમિત થઈ રહ્યા છે. તેમણે અપીલ કરી છે કે હોમ ક્વોરેન્ટાઈન ત્યારે જ થાવ જ્યારે ઘરમાં તમામ સુવિધા હોય.
સંક્રમણ દર વધીને 19 થયો
દેશમાં ગુરુવારે કોરોનાના 45 હજારથી વધારે કેસ નોંધાયા છે. જેમાંથી 30,007 કેસ એકલા કેરળમાંથી આવ્યા છે. એટલે કે કુલ મામલાના લગભગ 68 ટકા કેસ કેરળના છે. અહીં સંક્રમણ દર વધીને 19 થયો છે. જ્યારે સમગ્ર દેશમાં આ દર 2.58 ટકા છે. કેસમાં વધારો થયો છે. સાજા થનારની સંખ્યા ઘટી તો મોતનો આંકડો વધી રહ્યો છે.
કેરળમાં સ્થિતિ ન સુધરી તો...
આ અંગે સફદરજંગ હોસ્પિટલમાં કમ્યુનિટી મેડિસિન ડિપોર્ટમેન્ટના હેડ ડો. જુગલ કિશોર કહે છે કે જો ત્રીજી વેવ આવે છે તો તેનો વધારે ગંભીર અસર જોવા નહીં મળે. એવું એટલા માટે કેમ કે રસીકરણ સતત થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે. તેવામાં બન્ને સ્થિતિમાં એન્ટીબોડીઝ છે. પણ વાત જો કેરળની કરીએ તો આ એક માત્ર રાજ્ય છે જ્યાં કેસ વધી રહ્યા છે. એ કહેવું મુશ્કેલ છે કે ત્રીજી લહેરની શરુઆત થશે પરંતુ જલ્દી આ સ્થિતિને કન્ટ્રોલ કરવામાં ન આવે તો બીજા રાજ્યો પર આની અસર જરુર પડી શકે છે.
કેરળમાં ક્યાં કેટલા કેસ
25 અને 26 ઓગસ્ટની વાત કરીએ તો એર્નાકુલમમાં 7920 કેસ છે. કોઝિકોડમાં 7141 કેસ, ત્રિશૂરમાં 7022 કેસ, મલ્લાપુરમમાં 6487 કેસ, પલ્લકડમાં 4823 કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 2 દિવસમાં 90 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે જેમાં સૌથી વધારે એટલે કે 62 મોત પલક્કડમાં, ત્રિશૂરમાં 53 મોત અને કોઝિકોડમાં 41 મોત થયા છે. આ દરમિયાન કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી અને સંસદીય મામલાના મંત્રી વી મુરલીધરને કહ્યું કે કેરળ સરકારની બેદરકારીએ રાજ્યના કેસમાં વધારો કર્યો છે.
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ આપી ખાસ ફોર્મ્યુલા
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે કેન્દ્રીય મંત્રી માંડવિયાએ ગયા અઠવાડિયે મુલાકાતમાં કહ્યું કે સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે 4 સૂત્રની ફોર્મ્યૂલા જરૂરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે રાજ્યને ટેસ્ટિંગ અને કોન્ટ્રેક્ટ ટ્રેસિંગ વધારવાનું કહેવાયું છે. સાથે હોમ આઈસોલેશનના રોગીને માટે ધ્યાન રાખવાનું રહેવાયું છે કેમકે 80 ટકા લોકો હોમ આઈસોલેશનમાં છે. તહેવારમાં કોવિડ પ્રોટોકોલનું પાલન અને સામૂહિક સમારોહથી બચવાની સલાહ આપવામાં આવી છે અને વેક્સીનેશનને વધારવા માટે ભાર મૂકાયો છે.