શનિવારે રોડ શો દરમિયાન થયેલા થપ્પડ કાંડના આગામી દિવસે રવિવારના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રની ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. કેજરીવાલે સીધી રીતે આ હુમલા પાછળ ભાજપ સરકારને જવાબદાર ગણાવી છે. કેજરીવાલે કહ્યુ કે, સતત થઇ રહેલા હુમલા આમ આદમી પાર્ટીને ખત્મ કરવાની પ્રયત્ન છે.
રોડ શો દરમિયાન થપ્પડ કાંડને લઇને સીએમ કેજરીવાલે ભાજપ પર પલટવાર કરતા કહ્યુ કે, ''હુમલાખોરને એટલા માટે મોકલવામાં આવેલો તેના પાછળનો મેસેજ હતો મોદીજીની વિરુદ્ઘ દેશની અદંર કોઇ બોલશે તો તેનો અવાજ બંધ કરી દેવામાં આવશે.''
Delhi CM Arvind Kejriwal: Is hamlawar ko isliye bheja gaya, ye message dene ki koshish ki ja rahi hai desh ko, ki modi ji ke khilaaf jo bhi bolega is desh ke andar usko bakhsha nahi jaega. Ye tanashahi ki nishaani hai ki apne khilaaf har aawaz ko band kar diya jaye. pic.twitter.com/YZVfNztxOg
કેજરીવાલે કહ્યુ કે, ''ગત 4 વર્ષમાં તેમણે સતત પ્રયત્ન કર્યો કે આમ આદમી પાર્ટીને ખત્મ કરી દેવામાં આવે, ઘર અને બેડરરૂપમાં દિલ્હી પોલીસને રેડ કરાવવામાં આવી, ઑફિસમાં CBIની રેડ પાડવામાં આવી હતી. ચૂક એક કે બે વખત થાય અને આ લોકો આમ આદમીની રાજનીતિમાં આવવાનું સહન ના કરી શક્યા આ કારણથી હુમલો કરાવી રહ્યા છે.'' કેજરીવાલે આગળ કહ્યુ કે, કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે, ''કોઇ પણ રીતે નવી પાર્ટીને ખત્મ કરી દેવામાં આવે, 9 હુમલા નાની વાત ના કહેવાય. મને નથી લાગતુ કે કોઇ મુખ્યમંત્રી પર આટલા હુમલા થયા હોય.''
કેજરીવાલે આગળ કહ્યુ કે, ''હુમલાખોરની પત્નીએ જણાવ્યું છે કે, મારો પતિ પીએમ મોદી વિરોધી એક શબ્દ પણ સાંભળી શકતો નથી. તેથી જ મોદીની વિરોધમાં બોલતા વ્યક્તિઓ પર ભાજપ હુમલાઓ કરાવી રહી છે. ''
મહત્વનું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને થપ્પડ મારનાર આરોપી સુરેશ પર એફઆઈઆર નોંધાઈ છે.ડીસીપી મોનિકા ભારદ્વાજે જણાવ્યું કે, આરોપી કૈલાશ પાર્કમાં સ્પેયર પાર્ટનું કામ કરે છે. દિલ્હીના મોતિનગરમાં કેજરીવાલના રોડ શો દરમિયાન સુરેશે કેજરીવાલને ગાડીના બોનેટ પર ચઢીને થપ્પડ મારી દીધી હતી. પોલીસે આરોપી સુરેશની ધરપકડ કરી લીધી છે.