લક્ષ્મીનું નામ સાંભળતાની સાથે જ આંખોની સામે ધન તરવરવા લાગે છે. દૌલત મેળવવા માટે વ્યક્તિ ગમેતેવું જોખમ ખેડવા તૈયાર હોય છે. પણ તેના માટે મહેનત જરૂરી હોય છે. પુરી લગનથી મહેનત કરો તો તમને સો ટકા સફળતા મળે છે.
આ ઉપરાંત લક્ષ્મી માતાની પૂજા કરવાથી પણ ધન પ્રાપ્તિ થાય છે પરંતુ ઘણા લોકો લક્ષ્મીપૂજા કે કોઈપણ પૂજા કરતી વખતે ઘણીબધી ભૂલો કરે છે જેથી ધન આવવાના બદલે દૂર ભાગે છે.
પૂજા કરતી વખતે રાખો આ ખાસ બાબતોનું ધ્યાન: - લક્ષ્મી માતાની પૂજા કરતી વખતે તેમની મૂર્તિ કે ફોટાથી દીપકને ડાબી બાજુ રાખો અને ખાસ કે લાલ વસ્ત્રો પહેરીને પૂજા કરો જેથી માતાજી તમારા પર પ્રસન્ન રહેશે. - આ ઉપરાંત અગરબત્તી ધૂપ વગેરે વસ્તુઓ પણ ડાબી બાજુએ રાખો. - ખાસ બાબત કે માતા લક્ષ્મીજીનું સુહાગ અમર છે જેથી સફેદ વસ્ત્ર કે સફેદ ફૂલ ક્યારેય પણ ન ચડાવો જે ચડાવવાથી લક્ષ્મીજી ક્રોધિત થાય છે. - દક્ષિણ દિશામાં ઉભા રહીને લક્ષ્મીજીને પ્રસાદ અર્પણ કરો જેથી માતાજી તમારા પર હંમેશા ખુશ રહેશે અને તમારા પર વરસતા રહેશે.