ઉત્તર પ્રદેશના વારણસીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદનું સંચાલન કરતી સમિતિએ મસ્જીદ પરિસરની બહાર જમીનનો એક હિસ્સો કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટને આપવા બાબતે સહમતી દર્શાવી છે. આ ઘટના દેશમાં ધાર્મિક સંવાદિતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડી શકે છે.
ખરેખર તો આ એક જમીનની અદલાબદલી
1700 સ્ક્વેર ફૂટ જેટલો વિસ્તાર મંદિરને અપાયો
કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ માટે ઉપયોગી જમીન
જમીનની અદલાબદલી બાબતે સમજૂતી
મસ્જિદ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે મસ્જિદ દ્વારા આપવામાં આવેલી જમીન પહેલાં પ્રશાસનને એક સ્થાયી પટ્ટા પર આપવામાં આવી હતી. બાબરી મસ્જિદના વિધ્વંસ મામલે અહીં પોલીસ નિયંત્રણ કક્ષ બનાવવામાં આવશે. જો કે ટ્રસ્ટે ઘણાં વર્ષો પહેલાં જ મંદિર સાથે જોડાયેલ એક પ્રોજેક્ટ માટે માંગ્યો હતો. આ વિસ્તાર મસ્જિદ પરિસરથી લગભગ 15 મીટર જેટલાં અંતરે આવેલો છે. આ એક મોટો જમીન વિસ્તાર છે જે 1700 સ્ક્વેર ફૂટ જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. આ વિસ્તારના સામે મસ્જિદ વિભાગને પણ એક હજાર ફૂટ કરતાં વધારે જમીન મળી હતી.
અધિકારીઓએ શું કહ્યું?
જ્ઞાનવ્યાપી મસ્જિદનાં કેરટેકર અને અંજુમન ઇન્તેજામિયા મસ્જિદના સંયુક્ત સચિવ એસ એમ યાસીને કહ્યું હતું કે જે પ્લોટ આપવામાં આવ્યો છે તે મસ્જિદ સાથે જોડાયેલ નથી એ બાબત અલગ છે. જ્ઞાનવ્યાપી મસ્જિદ સમિતિના આ ત્રણ પ્લોટ છે જેમાંથી એકમાં મસ્જિદ છે અને બીજા પ્લોટમાં બંને ધર્મસ્થળો વચ્ચે એક કોમન રસ્તો છે જ્યારે ત્રીજો પ્લોટ તો જિલ્લા પ્રશાસનને બાબરી વિધ્વંસના એક વર્ષ બાદ ધર્મસ્થળોની સુરક્ષા માટે કંટ્રોલ રમ બનાવવા માટેના આશયથી આપી દેવામાં આવ્યો હતો. આ સ્થળે રહેલ પોલીસ કંટ્રોલ રૂમને હવે પ્રોજેક્ટ માટે આપવામાં આવ્યો છે.
કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ વર્માએ કહ્યું હતું કે જમીનની અદલાબદલી ઉત્તર સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ સાથે કરવામાં આવી હતી. તેને મસ્જિદ સાથે કોઈ સંબંધ નથી. પ્લોટ મસ્જિદ પરિસરની બહારની તરફ હતો.
કિંમતના આધારે જમીનની અદલાબદલી કરવામાં આવી
સુનિલ વર્માએ કહ્યું હતું કે જમીનની અદલાબદલી કરવામાં આવી છે અને તે જમીનના વિસ્તારને નહીં પરંતુ જમીનની કિંમતના આધારે કરવામાં આવી છે. આ જમીન ચારે તરફ મંદિરની માલિકીની સંપતિથી ઘેરાયેલી હતી. વકફ બોર્ડના ચેરમેન જફર ફારુકિએ કહ્યું હતું કે જે જમીન મંદિર ટ્રસ્ટને આપવામાં આવી છે તે કમર્શિયલ હતી આની વધારે મૂલ્યની હતી. પણ ઑફિસરોએ અમને આ અંગે પૂછ્યું હતું કારણ કે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ માટે આ જમીનની જરૂર હતી.
આગામી સમયમાં નિર્ણય લેવાશે
આ જમીનમાં શું બનશે તેનો કોઈ જવાબ આપવાની અધિકારીઓએ ના પડી હતી. મોટેભાગે આ હિસ્સો ખુલ્લો જ રાખવામાં આવશે. ત્યાં કન્સ્ટ્રક્શન કરવાનો હમણાં કોઈ પ્લાન નથી. જો કે ઉલ્લેખનીય છે કે કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે.