કર્ણાટકમાં ઈદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવની પરમિશનને લઇને મોટો વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અડધી રાત્રે હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે.
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો
હુબલી ઈદગાહ મેદાનમાં જ થશે ગણેશ ચતુર્થી ઉત્સવ
હાઈકોર્ટમાં થયો સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ
કર્ણાટકમાં ઈદગાહ મેદાનમાં ગણેશ ઉત્સવની મંજૂરીને લઇને મોટો વિવાદ ચાલી રહ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવતા કહી દીધું છે કે હુબલી ઈદગાહ મેદાનમાં ગણેશ ચતુર્થીનું આયોજન કરી શકાય છે. કર્ણાટક હાઈકોર્ટે અડધી રાત્રે હુબલી-ધારવાડના ઈદગાહ મેદાન પર ગણેશ ચતુર્થી પૂજાની મંજૂરી આપવાના આદેશને પડકાર ફેંકનારી અરજી પર સુનાવણી કરી. જસ્ટિસ અશોક એસ.કિનાગીના ચેમ્બરમાં સુનાવણી મંગળવાર રાત્રે 10 વાગ્યે શરૂ થઈ અને 12 વાગ્યા પહેલા કોર્ટે કેટલીક શરતો સાથે ઈદગાહમાં ગણેશ ઉત્સવ મનાવવાની મંજૂરી આપી દીધી.
કોર્ટે હુબલી ઈદગાહ મેદાન પર ગણેશ ચતુર્થી મનાવવાની મંજૂરી આપવાના હુબલી-ધારવાડ નગર નિગમના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો. અડધી રાત સુધી લોકો કર્ણાટક હાઈકોર્ટની રાહ જોતા રહ્યા. આ પહેલા મંગળવારે દિવસે સુપ્રીમ કોર્ટે બેંગલુરૂના ઈદગાહ મેદાન પર યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટમાં થયો સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ
અરજીકર્તા અંજુમન-એ-ઇસ્લામના વકિલે બેંગલુરૂ ઈદગાહ મેદાન પર ગણેશ ઉત્સવ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કર્યો. હુબલીના સંબંધમાં આ પ્રકારના આદેશની પણ વાત કરી. રાજ્ય તરફથી રજૂ કરવામાં આવેલ એએજી ધ્યાન ચિન્નપ્પાએ કહ્યું કે, બેંગલુરૂ મામલે પડકાર સરકારના આદેશનો હતો. આ એક વિવાદિત સવાલ છે કારણ કે વક્ફ પોતાના માલિકાના હકના દાવાનો સાબિત ન કરી શકે. આ મામલે આ સવાલ નથી. આ મામલે ઘણો પહેલા કેસ દાખલ કરાયો હતો.
હાઈકોર્ટઃ કેટલાક હિન્દુ સંગઠનોએ ગણેશ પ્રતિમા સ્થાપિત કરવા અને તે સંપત્તિમાં સાંસ્કૃતિક ગતિવિધિ આયોજિત કરવા માટે આવેદન રજૂ કર્યો છે. પ્રતિવાદી સંખ્યા 2ને પાંચ સભ્યોની સમિતિની રચના કરી.
અરજીકર્તાઃ એવું પહેલીવાર થયું છે. હું એ નથી કહી રહ્યો કે તેમની પાસે અધિકાર કે શક્તિ નથી. આ તેમની સંપત્તિ છે પરંતુ આ સમયે નથી........