કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પોતાની પાર્ટીને સલાહ આપી છે.
કોંગ્રેસે પોતાની અંદર ડોક્યુ કરવું જોઈએ- કપિલ સિબ્બલ
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારુ પ્રદર્શન નથી કર્યુ
કોંગ્રેસના પ્રદર્શનના મુદ્દા પર યોગ્ય સમયે આ મુદ્દા પર વાત કરશે
કોંગ્રેસે પોતાની અંદર ડોક્યુ કરવું જોઈએ- કપિલ સિબ્બલ
4 રાજ્યો અને 1 એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યાના થોડાક દિવસો બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે પોતાની પાર્ટીને સલાહ આપી છે. તેમણે કહ્યુ તે કોંગ્રેસે પોતાની અંદર ડોક્યુ કરવું જોઈએ. કેમ કે બંગાળમાં એક સીટ પર પણ જીત ન મળતા અને આસામની સાથે સાથે કેરળમાં પાર્ટી નિષ્ફળ રહી.
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારુ પ્રદર્શન નથી કર્યુ
સિબ્બલે એક ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યુ કે હાલમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સારુ પ્રદર્શન નથી કર્યુ. આ આસામ અને કેરળમાં નિષ્ફળ રહી. પાર્ટી પશ્ચિમ બંગાળમાં એક પણ સીટ સુરક્ષિત નથી કરી શકી. તેમણે કહ્યું કે હવે જ્યારે પાર્ટી તરફથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તો ધ્યાન રાખવું જોઈએ.
કોંગ્રેસના પ્રદર્શનના મુદ્દા પર યોગ્ય સમયે આ મુદ્દા પર વાત કરશે
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યુ કે તે કોંગ્રેસના પ્રદર્શનના મુદ્દા પર કોઈ ટિપ્પણી નહીં કરે પરંતુ યોગ્ય સમયે આ મુદ્દા પર વાત કરશે. તેમણે કહ્યુ, અમે પોતાનો વિચાર રજુ કરીશું. આજે પણ દળના તમામ લોકોને કોવિડની વચ્ચે લોકોના જીવનને બચાવવા માટે મળીને કામ કરવું જોઈએ.
સિબ્બલે પીએમ પર નિશાનો સાધ્યું
દેશમાં કોવિડની સ્થિતિને લઈને પીએમ પર નિશાનો સાધતા કહ્યું કે પીએમે એમ કહેવું જોઈએ કે આપણે મહામારી વિરુદ્ધ આ સંધર્ષને જીતીશું. તેમણે એમ પણ કહ્યુ કે ચૂંટણી અલગ વાત છે પણ આ જીવન અને મૃત્યુની લડાઈ છે.
5 રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનને લઈને ચિંતા વ્યક્ત કરી
કપિલ સિબ્બલ જે કોંગ્રેસમાં વિદ્રોહી જી 23 ગ્રુપનો ભાગ હતા. જેમણે ગત વર્ષ ઓગસ્ટમાં સોનિયા ગાંધીને એક પત્રમાં સંગઠનાત્મક સુધાર માટે કહ્યું હતુ અને 5 રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીના પ્રદર્શનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જોકો કોરોના મહામારીને પહોંચી વળવાને પ્રાથમિકતા આપી છે. તેમણે અને જી 23ના અન્ય નેતાઓ જેવા મનીષ તિવારી, ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બંગાળમાં ભાજપને હરાવવા માટે અભિનંદન પાઠવ્યા છે.
કોંગ્રેસના નેતા મમતા બેનર્જીને ઝાંસીની રાણી કેમ કહે છે
જ્યારે સવાલ કરવામાં આવ્યો કે કોંગ્રેસના નેતા મમતા બેનર્જીને ઝાંસીની રાણી કેમ કહે છે તો તેમણે કહ્યુ કે જ્યારે પીએમ 2019માં લોકસભા ચૂંટણી જીત્યા હતા તો મે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમને ઝાંસીની રાણી નહોંતા કહેતા. તે ગોલિનાથ હતા. આપણે જીતનારા નેતાઓને અભિનંદન પાઠવવા જોઈએ. કેન્દ્રએ જીત માટે બધુ જ કર્યુ અને ચૂંટણી પંચે મદદ કરી. તેમ છતાં જો મમતા બેનર્જી બે તૃત્યાંશ બહુમતથી ચૂંટણી જીતે છે તો તેને ઝાંસીની રાણી કહેવા જોઈએ.