ગુજરાતમાં પેટાચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ-કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કપરાડા ખાતે જાહેર સભાને સંબોધન કર્યું. સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં પેટાચૂંટણી કોંગ્રેસના કારણે આવી છે અને પેટાચૂંટણી પછી પણ કોંગ્રેસ હજુ વધુ તુટશે.
કપરાડાની સભામાં CM વિજય રૂપાણીનો મોટો દાવો
ચૂંટણી બાદ પણ કોંગ્રેસ તૂટવાની છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ કપરાડા ખાતે પેટાચૂંટણીને લઇને જાહેર સભાને સંબોધન કર્યું હતું. જેમાં સીએમ રૂપાણીએ મોટો દાવો કર્યો છે કે પેટાચૂંટણી પછી પણ કોંગ્રેસ તુટવાની છે.
જો કે એક તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસના સભ્યો ન તોડવાને લઇને અગાઉ કપરાડા ખાતે નિવેદન આપ્યું હતું. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખના નિવેદનથી વિપરતી આજે CM રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભા સંબોધનમાં કહ્યું કે વલસાડમાં બાકી બધે કમળ છે, હવે કપરાડામાં 3 તારીખે કમળને મત આપી વિજય બનાવો. કપરાડાને અમે સવાયું આપીશું.
CM રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન તાકતા કહ્યું કે દેશ અને ગુજરાતમાં કોંગ્રેસ તુટી રહી છે. આ પેટા ચૂંટણી કોંગ્રેસના ધારાસભ્યોના લીધે આવી છે.