વિદ્યાર્થીનીઓની સુરક્ષાને લઇને કોલેજનો નવતર પ્રયોગ, ઘરથી દૂર રહેતા માતા પિતા પણ જાણી શકશે કે દિકરી કેટલા વાગે કોલેજમાં આવી અને કેટલા વાગે કોલેજમાંથી નીકળી
રાજકોટની કણસાગરા કોલેજનો નવતર પ્રયોગ
વિદ્યાર્થિનીઓ કોલજમાં ક્યારે પ્રવેશી ક્યારે છૂટી તેનો વાલીઓને મેસેજ મોકલાશે
દીકરીઓની સુરક્ષાને લઈને શરુ કર્યો પ્રયોગ
રાજ્યમાં દિકરીઓ ગુમ થવાના, બળાત્કાર સહિત અનિચ્છનીય બનાવો બની રહ્યા છે. જેને કારણે માતા પિતાની ચિંતામાં વધારો થયો છે. દિકરી ઘરની બહાર જાય ત્યારથી લઇને ઘરે આવે નહિ ત્યાં સુધી માત બાપને ચિંતા સતાવતી હોય છે. ત્યારે હવે રાજકોટની શાળા દ્વારા એક મહત્વનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જેમાં દિકરી કોલેજ આવશે અને કોલેજ પુરી કરીને ઘરે જવા નીકળે તે બંને સમયની માતા પિતાને જાણ કરવામાં આવશે.
દિકરીઓની સુરક્ષાને લઇને નવતર પ્રયોગ
રાજ્યમાં એવા બનાવો વધી રહ્યા છે કે શાળા-કોલેજનું નામ દઇને વિદ્યાર્થીઓ અન્ય જગ્યાએ જતા રહે છે. ઘણી વખત વિદ્યાર્થીનીઓ અનિચ્છનીય બનાવનો ભોગ બને છે. હત્યા, આપઘાત અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે તેવામાં રાજકોટની એક કોલેજ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.રાજકોટની કણસાગરા કોલેજમાં નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીનીઓની હાજરી માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે. વિદ્યાર્થિનીઓની હાજરીની દૈનિક માહિતી મોબાઇલ મેસેજના માધ્યમથી વાલીને મોકલાશે. આથી દીકરીઓની સુરક્ષાને લઇને ચિંતિત રહેતા વાલીઓને રાહત થશે.
100 ટકા હાજરી માટે નવતર પ્રયોગ હાથ ધર્યો
કણસાગરા મહિલા કોલજ દ્વારા આ નવી સીસ્ટમ વિકસાવવામાં આવી છે. કણસાગરા કોલેજના પ્રોફેસરો અને પ્રિન્સિપાલએ આધુનિક ટેકનોલોજી વિકસાવી છે.100 ટકા હાજરી માટે કોલજે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. દીકરીઓની સુરક્ષાને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે. કોલેજ દ્વારા પંચકાર્ડ તૈયાર કરવામાં આવ્યુ છે. એટલે જ્યારે વિદ્યાર્થીની શાળામાં આવે ત્યારે પંચ કરવાનું રહેશે. પંચિંગ ટાઇમ સાથેનો મેસેજ તેના વાલીઓના મોબાઇલમાં પહોંચી જશે. વિદ્યાર્થીની જ્યારે કોલેજથી ઘરે જવા નીકળે ત્યારે આઉટ પંચ કરવાનુ રહેશે . તે સમય પણ વાલીઓના મોબાઇલમાં પહોંચી જશે. જેથી પોતાની વ્હાલસોયી કોલેજ પહોંચી અને ત્યાંથી નીકળી પણ ગઇ છે તેવી ઘરે બેઠા માહિતી મળી રહેશે.