કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં વહેલી સવારે આગથી અફરાતફરી મચી છે. લગભગ 50 લોકો હોસ્પિટલમાં ફસાયાની શંકા છે.
કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ
50 લોકો હોસ્પિટલમાં ફસાયાની શંકા
ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે
કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયુમાં વહેલી સવારે આગથી અફરાતફરી મચી છે. લગભગ 50 લોકો હોસ્પિટલમાં ફસાયાની શંકા છે.
कानपुर : कार्डियोलॉजी अस्पताल के आईसीयू में लगी आग। मरीजों को निकाल गया बाहर। आग बुझाने के लिए दमकल की सात गाड़ियां मौके पर पहुंची। pic.twitter.com/yOOhZ6GZl6
કાનપુરમાં કાર્ડિયોલોજી હોસ્પિટલના આઈસીયૂમાં રવિવારે સવારે આગથી હાહાકાર મચ્યો છે. હોસ્પિટલના પહેલા ફ્લોરના આઈસીયૂમાં આગ લાગ્યાની જાણકારી મળતાં જ દર્દીઓને બહાર લાવવાની કામગીરી શરૂ કરાઈ છે. સૂચના મળતાં જ ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટના સ્થળે પહોચીને આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહી છે. હાલમાં લગભગ 50 લોકો હોસ્પિટલમાં ફસાયા હોવાની શંકા છે.
Fire breaks out at the cardiology department of LPS Institute Of Cardiology in Kanpur. More details awaited.
કાર્ડિયોલોજી હોસ્પિટલમાં બિલ્ડિંગમાં આગના કારણે દર્દીઓને બેડ સાથે જ બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં આગનું કારણ જાણી શકાયું નથી. કાર્ડિયોલોજીના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘુમાડો ભરાઈ જવાના કારણે પહેલા માળની સ્થિતિ જાણવામાં મુશ્કેલી આવી રહી છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ અને ફાયર સર્વિસના કર્મચારીઓ બારીના કાચ તોડીને જાણવાની કોશિશ કરી રહ્યા છે કે અંદર કોઈ ફસાયેલું તો નથી ને.
Principal Secretary Medical Education, Alok Kumar and DG Fire and Kanpur Commissioner to investigate the incident, and submit a report by today evening: Uttar Pradesh Chief Minister's Office
ગ્રાઉન્ડ ફ્લોરના તમામ દર્દીઓને સુરક્ષિત બહાર કાઢી લેવાયા
મળતી માહિતી અનુસાર ગ્રાઉન્ડ ફ્લોરના દરેક દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. પહેલા માળના 9 દર્દીઓના ફસાયા હોવાની સૂચના મળી છે. તેમને આ માળે ટ્રીટમેન્ટ અપાઈ રહી હતી. બારીના કાચ તોડીને વેન્ટીલેશનની વ્યવસ્થા કરાઈ છે. ધુમાડો ઓછો થયા બાદ ગ્રાઉન્ડ ફ્લોર ફરીથી ચેક કરાશે. હાલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈના ફસાયા હોવાની સૂચના મળી રહી નથી.