ઉત્તરપ્રદેશના કન્નોજ જનપદના સૌરિખ પોલીસ સ્ટેશનમાં આગ્રા- લખનઉ એક્સપ્રેસ વે પર રવિવારે વહેલી સવારે ભીષણ સડક અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્થળ પર જ 5 લોકોના મોત થયા હતા અને અન્ય 20 લોકો ઘાયલ થયા હતા. ઉલ્લેખનીય છે કે અનિયંત્રિત બસે કારને ટક્કર મારી હતી અને તેના કારણે બસ અને કાર બંને ખાડામાં જઈને પડી હતી. અત્યારે રાહત કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને નજીકની સેફઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
આગ્રા- લખનઉ એક્સપ્રેસ વે પર અકસ્માત
બસ અને કાર વચ્ચે ભીષણ અકસ્માત
5 લોકોના મોત, 20 ઘાયલ
Kannauj: Five people died, at least 18 injured after a private bus hit another vehicle at Agra - Lucknow Expressway this morning. The injured have been taken to a hospital. The bus was going from Bihar's Darbhanga to Delhi when the accident occured. pic.twitter.com/xg6YYFWYTI
મળતી માહિતી અનુસાર બસ દિલ્હીથી બિહાર જઈ રહી હતી. તે જ સમયે સૌરિખ પોલીસ સ્ટેશન પાસે પૂરઝડપે જઈ રહેલી બસે સંતુલન ગુમાવ્યું અને ગાડીને ટક્કર મારી. બસ અને કાર બંને ખાડામાં પડી. અનેક ઘાયલ લોકોની સ્થિતિ પણ ગંભીર જણાવવામાં આવી રહી છે. 5 વ્યક્તિઓના સ્થળ પર જ મોત નીપજ્યા છે. ઘાયલોને જોતાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે.
CM યોગીએ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી યોગી આાદિત્યનાથે જનપદ કન્નૌજમામં સડક દુર્ઘટનામાં 5 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. ઘાયલોના ઉપચાર માટેની જવાબદારીના આદેશ પણ જિલ્લાધિકારીઓને આપ્યા છે.