તમે સાંભળ્યુ હશે કે કેટલાક લોકોનો સમય ખરાબ ચાલી રહ્યો હોય છે. તે સમય જતો રહે બાદમાં બધુ ઠીક થઇ જાય છે. હાલમાં જાણે કરન જોહરનો સમય ખરાબ ચાલી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. કરન જોહર કંઇ પણ કરે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડે છે.
કરન જોહર ફરી આવ્યો નિશાના પર
કંગનાએ કરન જોહરને લીધો આડેહાથ
સુશાંતના મોત બાદ બાળકોની પબ્લિસીટી
Karan Johar, Aaditya Chopra, Mahesh Bhatt, Rajeev Masand and entire army of blood thirsty vultures the mafia media killed Sushant, only son of the family succumbed to bullying, exploitation and harassment in Bullywood and here KJO promoting his kids! SHAME .. https://t.co/wrKEAkDgik
કરન જોહરે સોશ્યલ મિડીયા પર કહ્યું હતુ કે તે એક પુસ્તક લોન્ચ કરશે જેની વાર્તા તેમના બાળકોની આસપાસ ફરતી રહેશે. આ પુસ્તકને ખાસ કંઇ રિએક્શન ન મળ્યું ઉલ્ટાનુ કરન જોહરને લોકોએ નિશાનો બનાવ્યો છે.
કંગનાએ સાધ્યુ નિશાન
એક્ટ્રેસ કંગના રનૌતે કરનની આ બૂકનુ સમર્થન નથી કર્યું. તેણે સુશાંતની મોતને યાદ કર્યુ અને કહ્યું કે, આ પુસ્તક મજાક છે. તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ, કરન જોહર જેવા મૂવિ માફીયાના કારણે સુશાંત મૃત્યુ પામ્યો. એક પરિવારનો દિકરો માફિયાને કારણે મૃત્યુ પામ્યો પરંતુ અહીંયા કરન જોહર તેના પુસ્તકનું પ્રમોશન કરી રહ્યાં છે. આ શરમજનક વાત છે.
કંગના રનૌતની આ ટ્વિટ વાયરલ થઇ ગઇ છે. જેથી કરન જોહર વિરુદ્ધ લોકોનો ગુસ્સો વધી ગયો છે. કંગનાએ આ પહેલા પણ કરન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. કંગનાએ પણ પહેલા નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે કરન જોહરની ધરપકડ કરવામાં આવે. એક્ટ્રેસે જોહરને સુશાંતના મોત માટે જવાબદાર ગણાવ્યો હતો. સાથે જ ઘણા લોકોના કરિયર બરબાદ થઇ જવાની વાત પણ કરી હતી.
જ્યારે સુશાંત સિંહ રાજપૂતનુ નિધન થયુ હતુ ત્યારે પણ કરન જોહર દરેકના નિશાને આવી ગયા હતા. હવે ફરી એક વાર કંગનાએ કરનને આડેહાથ લીધો છે.