બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut has praised ajay devgan

વખાણ / અજય દેવગણે અમદાવાદમાં કર્યું આ મોટું કામ: કંગનાએ કર્યા ભરપૂર વખાણ, કહ્યું સુપરસ્ટારે આવું જ કરવું જોઈએ

Khevna

Last Updated: 12:48 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજય દેવગણે અમદાવાદમાં ચાર સ્ક્રીનવાળું મલ્ટીપ્લેકસ ખોલ્યું છે, જેના કંગનાએ સોશિયલ મીડિયા પર વખાણ કર્યા છે.

  • અજય દેવગણે અમદાવાદમાં ચાર સ્ક્રીનવાળું મલ્ટીપ્લેકસ ખોલ્યું
  • કંગનાએ શેર કર્યું તરણ આદર્શનું ટ્વીટ 
  • ટ્વીટમાં કરવામાં આવ્યા છે અજય દેવગણનાં વખાણ 

કંગનાએ કર્યા અજય દેવગણના વખાણ 

હાલમાં જ કંગના રનૌતે અજય દેવગણનાં વખાણ કર્યા છે. 15 સપ્ટેમ્બરનાં રોજ અજય દેવગણે અમદાવાદમાં ચાર સ્ક્રીનવાળું મલ્ટીપ્લેકસ ખોલ્યું છે, આવનાર સમયમાં જેમાં ફિલ્મો બતાવવામાં આવશે. આવામાં કંગનાએ તેમના આ પગલાના વખાણ કર્યા છે. 

કંગનાએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ 
થોડા સમય પહેલા જ કંગનાએ અજય પર તેમની ફિલ્મો ન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના અમુક મહિનાઓ બાદ જ હવે એક્ટ્રેસે અજય દેવગણનાં વખાણ કર્યા છે. કંગનાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું ટ્વીટ શેર કર્યું હતું, જેમાં લખ્યું હતું કે - આ સૌથી સારો અને સૌથી પ્રભાવી નિર્ણય છે, જેના માધ્યમથી એક સુપરસ્ટાર પોતાના પાવરનો ઉપયોગ કરી શકે છે. મલ્ટીપ્લેકસ ન માત્ર રોજગાર પૂરો પાડે છે, પણ આપણી સ્ક્રીનનાં નંબરોને પણ વધારે છે. ભારતમાં અત્યાર સુધી કુલ 7000 સ્ક્રીન છે, જ્યારે ચીનમાં 70000થી પણ વધારે સ્ક્રીન છે. આવામાં મલ્ટીપ્લેકસ ખોલવાનો નિર્ણય ખૂબ જ સારો છે. તમને અભિનંદન સર. 

બાળકોના નામ પર અજયે ખોલ્યું મલ્ટીપ્લેકસ 
ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અમદાવાદની 4 સ્ક્રીન મલ્ટીપ્લેકસ વિષે જાણકારી આપી. તરણે ટ્વીટમાં લખ્યું કે અજય દેવગણે અમદાવાદમાં ચાર મલ્ટીપ્લેકસ ખોલ્યા છે, જે આમ્રકુંજમાં સ્થિત છે. થોડા વર્ષો પહેલા અજયે એનવાય સિનેમાની શરૂઆત કરી હતી, જ્યાર બાદ આણંદ, સૂરત અને રાજકોટમાં ઘણી બ્રાંચ ખુલી છે. આ મલ્ટીપ્લેકસ આ એનવાય સિનેમાનો ભાગ છે. જલ્દી જ આ 4 સ્ક્રીન મલ્ટીપ્લેકસને થ્રીડીમાં શરુ કરવામાં આવશે. જણાવી દઈએ કે આ મલ્ટીપ્લેકસનું નામ અજયે પોતાના બાળકોનાં નામ પર રાખ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ