સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત પ્રકાશિત થતા મેગેઝિન 'અંતિમ જન'ને આ વખતે સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરને સમર્પિત કરવામાં આવ્યું છે. અંતિમ જનને સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત કામ કરનારી ગાંધી સ્મૃતિ અને દર્શન સ્મૃતિ પ્રકાશિત કરે છે. તેના ચેરપર્સન પ્રધાનમંત્રી મોદી છે. આ મેગેઝિનમાં સાવરકરની સરખામણીમાં મહાત્મા ગાંધી સાથે કરવામાં આવી છે. તેમાં કહેવાયુ છે કે, સ્વતંત્રતા આંદોલનમાં તેમનું સન્માન મહાત્મા ગાંધીથી જરાંયે ઉતરતું નથી.
તો વળી જીએસડીએસના ઉપાધ્યક્ષ અને ભાજપ નેતા વિજય ગોયલે આ દરમિયાન સાવરકરના ટિકાકારો પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, આ દુખની વાત છે કે, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન જે લોકોએ એક દિવસ પણ જેલમાં નથી વિતાવ્યો અને સમાજ માેટ કશું નથી કર્યું, તે લોકો સાવરકર જેવા દેશભક્તની ટિકા કરી રહ્યા છે. સાવરકરનું ઈતિહાસમાં સ્થાન અને સ્વતંત્રતા આંદોલનમાં તેમનું સન્માન મહાત્મા ગાંધીથી જરાયે ઓછુ નથી. આ મેગેઝિનમાં સાવરકર તરફથી અને તેમના પુસ્તરમાં હિન્દુત્વ પર લખેલા એક લેખને પણ સામેલ કરવામાં આવ્યો છે.
મેગેઝિનના જૂન અંકને સમર્પિત કરવામાં આવ્યો
ભાજપ નેતા વિજય ગોયલે મેગેઝિનમાં લખ્યું છે કે, આ દુર્ભાગ્ય છે કે, પોતાના મહત્વના યોગદાન છતાં સાવરકરે કેટલાય વર્ષો સુધી આઝાદીના ઈતિહાસમાં મહત્વનું સ્થાન મળી શક્યુ નહીં. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જીસએડીએસના અધિકારીનું કહેવુ છે કે, મેગેઝિન અંતિમ જનના જૂનના અંકમાં 28 મેના રોજ સાવરકરની જયંતિ હોવાના કારણે તેમને સમર્પિત કરવામાં આવ્યો છે. તેની સાથે જ આઝાદીના 75 વર્ષના જશ્નના અવસરે આગામી અંક પણ સ્વતંત્રતા સેનાનીઓને સમર્પિત હશે. આ મેગેઝિનમાં સાવરકર દ્વારા લખવામાં આવેલી કેટલીય પુસ્તકો વિશે પણ બતાવામાં આવ્યું છે. જેથી લોકો આ પુસ્તકોને વાંચી શકે.