બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Jayaraj Singh made a big statement asking no one to comment on the settlement

ગોંડલ / ગોંડલ વિવાદ મામલે સમાધાન અંગે કોઈએ કોમેન્ટ ન કરવાનું કહી જયરાજસિંહએ આપ્યું મોટું નિવેદન

Kishor

Last Updated: 09:17 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રાજકોટમાં એક સમાજના કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાએ સમાજના સંમેલન અંગે નિવેદન આપ્યું હતું.

  • હું એક અઠવાડિયામાં સમાજના લોકોનું સંમેલન બોલાવીશઃ જયરાજસિંહ 
  • સમાજ સમાજની રીતે છેઃ જયરાજસિંહ જાડેજા
  • સમાજને જયરાજ કે અનિરુદ્ધની જરૂર નથીઃ જયરાજસિંહ


ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે વિવાદ વધતા હવે ક્ષત્રિય સમાજના આગેવાન પી.ટી જાડેજાએ સમાધાનની પહેલ કરી છે. રીબડા જૂથ સાથે સમાધાનની વાત પર જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશસિંહ ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહે બળાપો કાઢ્યો છે. તેમણે જણાવ્યું કે, હવે સમાજને જાગવામાં મોડુ થઇ ગયું છે, અમારા ટેકેદારોને હેરાન કરશે તો અમે તેમને જડબાતોડ જવાબ આપીશું. ત્યારે સમાધાનની વાતો વચ્ચે જયરાજસિંહ જાડેજા  સમાજનુ સંમેલન બોલાવશે. જેમણે રાજકોટમાં એક સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું.

સમાધાન બાબતે કોઈએ કૉમેન્ટ કરવી નહિઃ જયરાજસિંહ

જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે સમાજ સમાજની રીતે છે.સમાજને જયરાજ કે અનિરૂદ્ધની જરૂર નથી. એક અઠવાડિયામાં સમાજના લોકોનું સંમેલન બોલાવીશ અને સમેલનમાં મારા પ્રશ્નોના ચોકસાઇ પૂર્વક જવાબ જોઈશે. તેવું પણ કહ્યું હતું. વધુમાં જયરાજસિંહએ ઉમેર્યું કે સમાધાન બાબતે કોઈએ કોમેન્ટ કરવી નહી અને સમાધાના બાબતે કોઈ ઓડિયો-વીડિયો વાયરલ કરે નહી. મહત્વનું છે કે  રાજપૂત સમાજના પી.ટી.જાડેજાએ બંને વચ્ચે સમાધાન બાબતની વાત કહી હતી. એટલું જ નહીં જરૂર પડશે તો ઉપવાસ પર ઉતરવાની કરી હતી વાત

'અમારી વિરુદ્ઘ સંમેલન કર્યુ ત્યારે સમાજ ક્યાં હતો?'
જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ જણાવ્યું કે, હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તે બાબતે જો સમાજને વાકેફ કરી તો આજથી ત્રણ-ચાર મહિના પહેલા ગોંડલમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જે કાર્યક્રમ જયરાજસિંહ જાડેજાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો. એ કાર્યક્રમના મુખ્ય આયોજક રીબડાના અનિરુદ્ધસિંહ  જાડેજા હતા. ત્યારે હું સમાજને કહેવા માંગુ છું કે આ સમયે સમાજ ક્યાં હતો? સમગ્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતના સમાજના આગેવાનો કે સમાજના સંગઠનોએ અનિરુદ્ધસિંહ જાડેજાને એવું નહોતું કહ્યું કે આ કાર્યક્રમ તમારાથી ન થાય, આવા કાર્યક્રમ તમારે ન કરવા જોઈએ. હું સ્પષ્ટ પણે માનું છે કે ત્યારે સમાજ સૂતો હતો. સમાજને જાગવામાં ઘણું મોડું થઈ ગયું  છે. એટલા માટે આ પરિસ્થિતિ અહીં સુધી પહોંચી છે

સમાધાન માટે ક્ષત્રિય આગેવાનો મેદાને પડ્યા

આપને જણાવી દઈએ કે, આવતા દિવસોમાં વિવાદ વધુ ન વકરે તે માટે ગુજરાતભરના ક્ષત્રિય આગેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ માટે હવે ક્ષત્રિય આગેવાનો મેદાને પડ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખ પી.ટી જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું છે. તેઓ વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ. મહત્વનું છે કે, પીટી જાડેજા એ સોશિયલ મીડિયામાં અલગ અલગ 5 વીડિયો પોસ્ટ કર્યા છે. જો કે, આ બધા વચ્ચે જયરાજસિંહ જાડેજાના પુત્રએ સમાજને વચ્ચે ન આવવા જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ