ગઈકાલે એટલે કે મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે દેશને આત્મનિર્ભર બનાવવા 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ અને અન્ય કેટલીક જરૂરી ઘોષણાઓ કરી હતી. પીએમ મોદીના સંબોધનને લઈને હાલમાં જ જાણીતા રાઈટર જાવેદ અખ્તરે ટ્વિટ કરીને મોદી પર નિશાન સાધ્યું હતું. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું
જાવેદ અખ્તરે પીએમ મોદી પર સાધ્યું નિશાન
કહ્યું- સમગ્ર ભાષણમાં પરપ્રાંતીય મજૂરો માટે કંઈ જ કહ્યું નહીં
જાવેદ અખ્તરે ટ્વિટ કરીને લખ્યું- 20 લાખ કરોડનું આર્થિક પેકેજ રાષ્ટ્ર માટે ખરેખર વરદાન સમાન છે, પરંતુ 33 મિનિટની સ્પીચમાં પરપ્રાંતીય મજૂરો માટે એકપણ શબ્દ કહેવામાં આવ્યો નહીં. જે લોકોને અત્યારે જીવન જીવવા માટે સૌથી વધારે મદદની જરૂર હતી. આ યોગ્ય નથી. જાવેદના આ ટ્વિટ પર ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, જાવેદ અખ્તર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ હમેશાં સામાજિત મુદ્દાઓ પર બેબાકીથી પોતાના મંતવ્યો રજૂ કરે છે.
The package of 20 lakh crores is definitely a moral boaster for the the nation but in a speech of 33 minutes not even a word about the plight of the millions of migrant workers who need immediate help for their bare survival . Not done .
જ્યારે પીએમ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે વાત કરતા કહ્યું કે, આ દેશની વિકાસ યાત્રાને અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ આપશે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવા આના ભાર મૂકવામાં આવ્યો છે.
આ આર્થિક પેકેજ આપણા દેશના કુટીર ઉદ્યોગો, નાના ઉદ્યોગો અને મધ્યમ ઉદ્યોગો માટે છે, જે આત્મનિર્ભર ભારત માટેના આપણા સંકલ્પનો મજબૂત પાયો છે. આ આર્થિક પેકેજ દેશના એ મજૂર માટે છે, દેશના ખેડૂત માટે છે, જે દરેક પરિસ્થિતિમાં, દરેક સીઝનમાં દેશવાસીઓ માટે સખત મહેનત કરે છે.