બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Arohi
Last Updated: 01:15 PM, 19 August 2022
હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના રોજ રોહિણી નક્ષત્રમાં ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. દર વર્ષે આ દિવસે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 2022 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે.
ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. હિંદુ દેવી-દેવતાઓમાં શ્રી કૃષ્ણને સૌથી અલગ દરજ્જો આપવામાં આવ્યો છે. તેમની લીલાઓના કારણે જ ભગવાન કૃષ્ણ અનેક નામોથી ઓળખાય છે.
ક્યાંક કાન્હા, ક્યાંક લાડુ ગોપાલ, ક્યાંક બંશીધર, નંદલાલા, દેવકીનંદન વગેરે અનેક નામોથી તેમને ઓળખવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે જાણવી ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી રસપ્રદ વાતો.
રોહિણી નક્ષત્રમાં થયો હતો શ્રી કૃષ્ણનો જન્મ
શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. તે દેવકી અને વાસુદેવના આઠમા સંતાન હતા. તેના માતા-પિતાને મામા કંસ દ્વારા કેદ કરવામાં આવ્યા અને એક પછી એક 7 બાળકોને મારી નાખવામાં આવ્યા હતા. કૃષ્ણના જન્મ પછી વાસુદેવ તેમને ગોકુલમાં યશોદા અને નંદ બાબાના ઘરે મુકી આવ્યા હતા.
શ્રી કૃષ્ણને હતી 16108 પત્નીઓ
ભગવાન કૃષ્ણને 16108 પત્નીઓ હતી, જેમાંથી આઠ તેમની પટરાણીઓ હતી. રુક્મિણી, જાંબવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા પટરાણીઓ હતી. બાકીની રાણીઓનું ભૌમાસુરથી અપહરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે ભૌમાસુરથી શ્રી કૃષ્ણે તેમનો જીવ બચાવ્યો તો તેમણે કહ્યું કે હવે અમારો કોઈ સ્વીકાર નહીં કરે, તો અમે ક્યાં જઈશું. ત્યારે શ્રી કૃષ્ણએ તેમને પોતાની પત્નીઓનો દરજ્જો આપ્યો અને તેમની જવાબદારી ઉઠાવી હતી.
ભગવાન કૃષ્ણના છે 108 નામ
ભગવાન કૃષ્ણને 108 નામોથી ઓળખવામાં આવે છે. જેમાં ગોવિંદ, ગોપાલ, ઘનશ્યામ, ગિરધારી, મોહન, બાંકે બિહારી, બનવારી, ચક્રધર, દેવકીનંદન, હરિ અને કન્હૈયા મુખ્ય છે.
હનુમાનજીએ સૌ પ્રથમ સાંભળી હતી ભગવદ્ ગીતા
ભગવદ્ ગીતા સૌથી પહેલા અર્જુને શ્રી કૃષ્ણના મુખેથી ન હતી સાંભળી. તે પહેલા ભગવાન હનુમાનજી અને સંજયે પણ ભગવદ્ ગીતા સાંભળી હતી. કુરુક્ષેત્રના યુદ્ધ વખતે હનુમાનજી અર્જુનના રથની ટોચ પર સવાર હતા.
આ રીતે થયું શ્રી કૃષ્ણનું મૃત્યુ
શ્રી કૃષ્ણના અવતારનો અંત એક શિકારીના તીરથી થયો. જ્યારે ભગવાન રામે બાલિને છુપાઈને માર્યો હતો તો ભગવાન રામે કહ્યું હતું કે આવતા જન્મમાં મારી મૃત્યુ તારા જ હાથે થશે. જ્યારે શ્રી કૃષ્ણ એક ઝાડ પર બેઠા હતા તો શિકારીએ તેમના પગમાં એક તલને ચકલીની આંખ સમજીને તીર ચલાવ્યું તો તીર શ્રી કૃષ્ણના પગમાં વાગ્યુ અને ત્યાર બાદ તેમનું મૃત્યું થયું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army