જામનગરના નાંદુરી ગામે પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. શાળામાં શિક્ષકો ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ હતો અને જેને લઈને વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.
જોકે ગ્રામજનોના કહેવા પ્રમાણે તેમની રજૂઆત ધ્યાને ન લેવાતા ગામની પ્રાથમિક શાળાને તાળા બંધી કરવામાં આવી હતી. મહત્વનું છે કે પ્રાથમિક શાળામાં 193 વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર ત્રણ શિક્ષકો છે.
એમાં એક શિક્ષક આચાર્ય અને માત્ર બે જ શિક્ષકો હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. જેને લઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ બાળકોને રજા આપી શાળાને તાળાબંધી કરી હતી.