ગુજરાતમાં કોરોના વાયરસથી મોતના મામલે વધુ એક વાર મોટો દાવો સામે આવ્યો છે. જામનગર કોંગ્રેસનાં MLA વિક્રમ માડમે દાવો કર્યો કે સરકારી આંકડા અનુસાર 26ના મોત પણ 182 મૃતદેહોની કોરોના પ્રોટોકોલ અનુસાર અંતિમવિધિ કરવામાં આવી છે.
કોંગ્રેસનાં MLA વિક્રમ માડમે દાવો કર્યો
ગુજરાતમાં કોરોના વાયરસથી મોતના મામલે વધુ એક વાર મોટો દાવો
મૃતદેહોની કોરોના પ્રોટોકોલ અનુસાર અંતિમવિધિ
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે દાવો કર્યો છે કે, જામનગરમાં કોરોનાથી થતાં મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે. પોતે કેટલાક નેતાઓ સાથે ગ્રાઉન્ડ લેવલે પહોંચ્યા છે અને જામનગરની વાસ્તવિકતા અંગે કેટલાક દાવા કરી રહ્યા જે મુજબ ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે.
કોંગ્રેસ MLA વિક્રમ માડમે રૂબરૂ સ્મશાનની મુલાકાત લીધી હતી. જ્યાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર આવ્યા હોય તેનો આકડો 182 છે. જ્યારે સરકારી આંકડો જોઈએ તો જામનગરમાં કુલ 26 મોત કોરોનાથી થયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે જેમાંથી 10 શહેરમાં 16 ગ્રામ્યમાં થયા છે. જ્યારે સ્મશાનના આંકડા કંઈક ઓર જ કહાની કહી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ, કે, જ્યારે આરોગ્ય સચિવ જયંતિ રવિ જામનગરની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ અમે કહ્યું હતુ કે, કોરોનાની મહામારીમાં કોઈ રાજનીતિ ન હોય. સરકાર કહે છે કોરોનાથી મોત નથી થતું જેને કારણે લોકો બેદરકાર બન્યા છે. અને રોગચાળો વકરી રહ્યો છે. હું દાવા સાથે કહું છે કે જામનગરમાં રોજના કોરોનાથી 12થી 15 મોત થાય છે. જનતાને સાચા આકંડા જણાવો.
રાજકોટ પર કોરોનાનો કાળો છાયો ઘેરાતો જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના હૃદય પર કોરોનાનો ભાર વધતો જઈ રહ્યો છે. કારણ કે, સૌરાષ્ટ્રભરમાંથી કોરોનાના સંક્રમિત દર્દીઓ સારવાર માટે રાજકોટમાં આવે છે. જેના કારણે અહીં દર્દીઓના મોતના આંકડા પણ સતત વધતા જઈ રહ્યા છે. કારણ કે, આ દર્દીઓમા અંતિમ સંસ્કાર પણ રાજકોટમાં જ થાય છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે, આરોગ્ય વિભાગથી માંડીને સ્થાનિય તંત્ર સુધી તમામ લોકો મોતનાં આંકડા છૂપાવી રહ્યા છે.
આંકડામાં તફાવત કેમ?
કારણ કે, રાજકોટ શહેરના આરોગ્ય વિભાગની અખબારી યાદી પ્રમાણે, અત્યાર સુધીમાં 3665 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે. જે પૈકી 101 લોકોના મોત થયાં છે. જ્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં અત્યાર સુધીમાં 1784 કેસ પોઝિટિવ દર્શાવાયા છે. જ્યારે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની યાદીમાં 3713 પોઝિટિવ કેસ દર્શાવ્યા છે. જ્યારે મોતના એકપણ આંકડા દર્શાવવામાં આવ્યા નથી. અહીં આંકડા ન દર્શાવવાનો અર્થ સ્પષ્ટ છે કે, તંત્ર મોતના આંકડા છૂપાવી રહ્યું છે.(આ આંકડા ગઇકાલના છે)
જ્યારે VTVની ટીમ દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો પણ જુઓ. એક પછી એક દર્દીઓના મૃત્યુ થતાં તેમના પાર્થિવદેહને અંતિમક્રિયા માટે સ્મશાને લઈ જવામાં આવી રહ્યા છે. આ પાર્થિવદેહ સાથે અમારી ટીમ પણ સ્મશાન સુધી પહોંચી હતી. ત્યારે સ્મશાનમાં પણ વેઈટિંગ હોવાનું સામે આવ્યું છે.
ક્યા સ્મશાનગૃહમાં કોટલા અંતિમ સંસ્કાર?
VTV ટીમના હાથમાં જે આંકડો લાગ્યો તે ચોંકાવનારો હતો. રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે 1લી એપ્રિલથી લઈને 3 સપ્ટેમ્બર સુધીમાં કોવિડના 509 દર્દીઓની અંતિમક્રિયા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે શહેરના બાપુનગર સ્મશાન ગૃહમાં 145 જેટલા દર્દીઓના અને મૌવા સ્મશાનગૃહમાં 91 જેટલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અહીં એક વાત સ્પષ્ટ છે કે, તંત્ર આંકડા છૂપાવી રહ્યું છે.
સ્મશાન ગૃહમાં આટલું મોટું વેઈટિંગ કેમ છે?
ત્યારે સવાલ એ થાય છે કે, શું કોમ આરોગ્ય વિભાગ કોરોનાના આંકડા છૂપાવી રહ્યું છે? શહેર આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય વિભાગના આંકડામાં તફાવત કોમ અલગ છે? સ્મશાન ગૃહમાં આટલું મોટું વેઈટિંગ કેમ છે? સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કારના આંટલા આંકડા ક્યાંથી આવ્યા?