જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં LoC પર ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરી છે. ભારતીય આર્મીના એક્શનમાં શનિવારે ઓછામાં ઓછા બે પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે. રક્ષા સુત્રીઓએ આ જાણકારી આપી.
LoC: અખનૂરમાં સેનાની જવાબી કાર્યવાહી
પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયરિંગ કર્યુ હતું
પલ્લનવલ્લા અને અખનૂરની ચોકીઓ પર કર્યુ હતું ફાયરિંગ
રક્ષા સુત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોને સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું અને પલ્લનવાલા અને અખનૂરમાં અગ્રિમ ચોકીઓ પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું, જેનો અસરકારક રીતે જવાબ આપવામાં આવ્યો.
સુત્રોએ જણાવ્યું કે સવારે ભારતીય સેનાએ LoCની પાસે બે મૃતદેહ પડેલા દેખાયા. જોકે, બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ હોવાને લઇને તેની શારીરિક ચકાસણી નથી થઇ શકી. તેમણે જણાવ્યું કે વિસ્તારમાં બોર્ડર પર ફાયરિંગ હજુ પણ ચાલી રહ્યું છે. ભારત તરફથી આનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
આ વચ્ચે પાકિસ્તાની સેના સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહી છે. શુક્રવારે પૂંછ જિલ્લામાં LoC પર મુખ્ય ચોકીઓ અને ગામડાઓ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. પાકિસ્તાની જવાનોને મૉર્ટારના ગોળા છોડ્યા.
એક રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે માનકોટ સેક્ટરમાં થયેલ ફાયરિંગનું ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. જેમાં ભારતીય પક્ષમાં કોઇ જાનહાનિ થવાની જાણકારી નથી સામે આવી. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે, અંદાજિત સાત વાગ્યાને 15 મિનિટ પર પાકિસ્તાન તરફથી વગર કોઇ ઉશ્કેરણીએ નાના હથિયારોથી ફાયરિંગ કરવામાં આવ્યું અને મૉર્ટાર મારો કર્યો.