જમ્મૂ અને કાશ્મીરના પુલવામા અને કુલગામમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. આ દરમિયાન ભારતીય સેનાએ બે આતંકીઓને ઠાર માર્યાં છે. કુલગામ જિલ્લાના નિપોરા વિસ્તારની સેનાએ ઘેરબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ શરૂ થયું હતું. આ અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયાં છે.
કુલગામમાં સુરક્ષાબળો સાથેની અથડામણમાં બે આતંકી ઠાર
પુલવામામાં આતંકીઓ છુપાયાં હોવાની જાણકારી
જ્યારે બીજી તરફ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ગુલ બાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. પોલીસ અને સુરક્ષાદળના સંયુક્ત ઓપરેશનને અંજામ આપી રહી છે. સેનાને ઇનપુટ દ્વારા મળેલી જાણકારી બાદ આ ગામની ઘેરાબંધી કરવામાં આવી.
Jammu and Kashmir: Precision operation carried out in Anantnag district ensured no collateral damage. Both terrorists eliminated were of Hizbul Mujahideen. 2 pistols with ammunition and 3 grenades recovered. Operation over. (visuals deferred by unspecified time) https://t.co/k26FlvpNL4pic.twitter.com/YsqpR1NqUP
કાશ્મીર રેંજના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારના જણાવ્યાં અનુસાર સેના અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયાં છે. માર્યા ગયેલા આતંકીઓની હજી ઓળખ થઇ નથી.
આ વિસ્તારમાં આતંકીઓ હાજર હોવાને લઇને મળેલી માહિતી બાદ સર્ચ ઓપરેશન હાથ ધરતાં આતંકીઓએ સેના પર ફાયરિંગ કર્યું. જેમાં ભારતી સેના જવાબી કાર્યવાહીમાં સામું ફાયરિંગ કર્યું હતું. ભારતીય સેનાને ગુલાબ બાગ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ છુપાયાં હોવાની જાણકારી મળી છે.