કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે,ભારત અને ચીન વચ્ચે આવેલ LAC પર સુરક્ષા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
LAC પર ડ્રેગનની નહીં ચાલે કોઈ ચાલ
ITBPના 8 હજાર જવાન કરાશે તૈનાત
7 નવી ITBP બટાલિયનનું એલાન
સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ITBPની નવી બટાલિયનને મંજૂરી આપવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને સરકાર તમામ સુરક્ષાદળોને સુરક્ષા તથા તમામ સવલતો ઉપલબ્ધ કરાવવા બાબતે કામે લાગી છે.
નવી બટાલિયન બોર્ડર પર કરાશે તૈનાત
તેમણે વધુમાં કહ્યું કે, સરકારે ગત વર્ષે ITBP માટે 47 નવી સીમા ચોકી અને 1 ડઝન શિબિરની મંજૂરી આપી હતી. રાયે વધુમાં જણાવ્યું કે, ITBP માટે નવા માનવ સંશાધન અને બટાલિયન ઉપલબ્ધ કરાવવા અંગેની વિચારણા અંતિમ તબક્કામાં છે. નવી બટાલિયન ખાસ કરીને ભારતના પૂર્વી હિસ્સામાં અરૂણાચલ પ્રદેશ સેક્ટરમાં તૈનાત કરવામાં આવશે.
8000 જેટલા જવાનો સીમા પર થશે તૈનાત
ITBPની નવી બટાલિયન અને પૂર્વોત્તરમાં એક સેક્ટર મુખ્યાલયને મંજૂરી આપવાનો પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે છેલ્લા 2 વર્ષથી વિચારણામાં છે. પરંતુ ગત વર્ષે નવી સીમા ચોકીને અને શિબિરોને સ્વીકૃતિની સાથે જ આ પ્રસ્તાવને પણ ઝડપથી મંજૂરી મળવાની આશા છે. જેમાં આશરે 8000 જેટલા જવાનો ભારતીય સીમા પર તૈનાત કરવામાં આવશે.