બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / INS Sumitra warship in the gulf of Aden to rescue hijiacked fishermen ship of Iran named MV Iman
ADVERTISEMENT
અરબ સાગરમાં ભારતીય નૌકાદળનાં જંગી જહાજ INS સુમીત્રા હાલમાં સોમાલી સમુદ્રી લુટેરાઓને ભગાવી રહ્યું છે. સમુદ્રી લુટેરાઓએ ઈરાનનાં માછલી પકડનારા જહાજ MV Imanને હાઈજેક કરી લીધું હતું. ભારતીય રક્ષા મંત્રાલયનાં અધિકારીઓએ જાણકારી આપી કે INS સુમીત્રાનું આ ઓપરેશન કોચીથી 700 નોટિકલ મીલ એટલે કે 1296.5 km દૂર ચાલી રહ્યું છે. ઈરાની જહાજ પર 17 ક્રૂ મેંબર છે.
Swift response by #IndianNavy's Mission Deployed warship ensures safe release of hijacked vessel & crew.#INSSumitra, on #AntiPiracy ops along East coast of #Somalia & #GulfofAden, responded to a distress message regarding hijacking of an Iranian flagged Fishing Vessel (FV)… pic.twitter.com/AQTkcTJvQo
— SpokespersonNavy (@indiannavy) January 29, 2024
ADVERTISEMENT
ભારતીય નૌકાદળનાં પ્રવક્તાએ જણાવ્યું કે દેશનાં પૂર્વી કિનારાની તરફથી એટલે કે અરબ સાગરની પાસે અદનની ખાડીમાં તૈનાત INS સુમીત્રાએ તાત્કાલિક રિસ્પોન્ડ કર્યો છે. જેવો ઈરાની ફિશિંગ વેસલ ઈમાનથી એલર્ટનો એલાર્મ વાગ્યો, ડિસ્ટ્રેસ કોલ આવ્યો અને સુમીત્રાએ તેજીથી ઈરાનનાં જહાજ તરફ પ્રયાણ કર્યું. ઈમાન પર સોમિલિયાઈ સમુદ્રી લુટેરાઓના કબજામાં હતું અને ક્રૂ મેંબર્સને બંધક બનાવી લેવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
આ રીતે જહાજને મુક્ત કરાવ્યું
INS સુમીત્રાએ MV Imanને ઈંટરસેપ્ટ કર્યું. તમામ SOP ને ધ્યાનમાં રાખીને બંધકોને મુક્ત કરાવ્યું. સાથે જ માછલી પકડનારા જહાજ MV Imanને પણ લુટેરાઓથી મુક્ત કરાવ્યું. સમુદ્રી લુટેરાઓ ભારતીય યુદ્ધ જહાજને જોઈને ભાગી ગયાં હતાં. આ બાદ જહાજની તપાસ કરવામાં આવી અને નૌસેનિકોએ MV Imanને આગળની યાત્રા માટે જવા દીધું.
પ્રેસિડેન્શિયલ યાટ પણ છે...
INS સુમીત્રા ભારતીય નૌકાદળના સરયુ ક્લાસ પેટ્રોલ જહાજનું યુદ્ધ જહાજ છે. તેનું નિર્માણ ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ભારતના રાષ્ટ્રપતિનું પ્રેસિડેન્શિયલ યાટ પણ છે. આ 2200 ટનનું યુદ્ધ જહાજ 2014થી ભારતીય નૌકાદળની સેવામાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.