ભારતની નૌસેનામાં આજે ઘાતક યુદ્ધ જહાજ INS મોરમુગાઓ સામેલ થવા જઈ રહ્યું છે, તેની ખાસિયત જાણીને દુશ્મનોનું વધશે ટેન્શન.
INS મોરમુગાઓ આજે રાષ્ટ્રને કરાશે સમર્પિત
ભારતનું સૌથી ઘાતક યુદ્ધ જહાજ
ખાસિયત એવી કે દુશ્મનો હાંજા ગગડી જાય
નૌસેના થશે મજબૂત
જેમ જેમ ભારતની અર્થવ્યવસ્થા મજબૂત થઈ રહી છે તેમ હવે સેનાને પણ મજબૂત કરવાની જરૂર છે. મોદી સરકાર દ્વારા સ્વદેશી હથિયાર, એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને યુદ્ધ જહાજને લઈને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ભારતીય નૌસેનામાં સૌથી ઘાતક યુદ્ધ જહાજ સામેલ થવા જઈ રહ્યું છે.
Mumbai | Indian Navy will get another Vishakhapatnam class destroyer of Project 15B. The second ship of this class Mormugao will be commissioned into India Navy on 18th December in Mumbai Naval Dockyard pic.twitter.com/nQbEyaaXoA
દુશ્મનો પકડી નહીં શકે જહાજ
ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ દ્વારા આજે મુંબઈથી નૌસેના ડોકયાર્ડમાં આ કાર્યક્રમ કરવામાં આવશે. આ યુદ્ધ જહાજનું નામ છે INS મોરમુગાઓ. INS મોરમુગાઓ એડવાન્સ હથિયારો અને મિસાઈલોથી લેસ છે, તેની અંદર જ રડાર અને હવામાં માર કરવાવાળી મિસાઇલ લાગેલી છે. આટલું જ નહીં દુશ્મનના રડાર આ જહાજને જલ્દી પકડી નહીં શકે તે રીતે બનાવવામાં આવ્યું છે.
This ship is fitted with an array of state of art weapons & sensors which gives us the potential to fight across the sphere in the last spectrum of warfare, in almost every warfare, the anti-air & anti-submarine. This ship is fitted with missile systems: Commander Anshul Sharma pic.twitter.com/Bp5QQh4zV3
ઘાતક મિસાઈલોથી લેસ
INS મોરમુગાઓ બ્રહ્મોસ, બરાક-8 સહિતની કુલ આઠ મિસાઇલ લાગેલી છે. સાથે સાથે એન્ટિ સબમરીન રોકેટ લોન્ચર પણ લગાવવામાં આવ્યું છે. જહાજ પર લાગેલી મિસાઇલ હવામાં 70 કિમી જ્યારે સમુદ્રમાં 300 કિમી સુધી દુશ્મનને મારી શકે છે.
ગમે તેવા યુદ્ધમાં લડશે
INS મોરમુગાઓ ન્યુક્લિયર, બાયોલોજિકલ અને કેમિકલ યુદ્ધમાં પણ લડવા માટે સક્ષમ છે. જહાજની ઉપર તારપીડો લોન્ચર અને હેલિકોપ્ટરની વ્યવસ્થા છે.
ભારતમાં થયું છે તૈયાર
INS મોરમુગાઓ ની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર જ્યારે વજન 7400 ટન છે. ભારતમાં તૈયાર થયેલ આ જહાજ સૌથી ઘાતક યુદ્ધ જહાજોમાંથી એક છે.