'રામ રાખે તેને કોણ ચાખે' જન્મદાતાઓએ મારીને કચરામાં ફેંકી દીધી હતુ. કુતરૂ ઉપાડી જતુ હતુ તોય બાળકી જીવી ગઈ. આ ઘટના જોઈને અરેરાટી ફેલાઈ જાય કે એવું તે કોણ ક્રૂર હશે જેણે આવડી અમથી દીકરી ઉપર હથિયાર ઉગામ્યા હશે? માનવતા અહીં પણ મહોરી ઉઠી હતી અને બાળકીને લોકોએ હોસ્પિટલ પહોંચાડી હતી.
રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી ઘટના
નવજાત બાળકીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા
નવજાત બાળકીને કચરાના ઢગલામાં ફેંકી દેવાઇ હતી
રાજકોટમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં એક નવજાત બાળકી કચરાના ઢગલામાંથી જીવિત હાલતમાં મળી આવતી હતી. માસૂમના શરીર પર હથિયારના ઝિંકાયેલા ઘાના નિશાન પણ હતા.
કૂતરુ ઉપાડી જઈ રહ્યુ હતુ બાળાને
બાળકીને કચરના ઢગલામાંથી શ્વાન મૌઢામાં ઉપાડીને જઇ રહ્યો હતો. આ સમયે એક યુવકની નજર ગઇને તેને બાળકીને શ્વાનના મોંમાંથી છોડાવીને હોસ્પિટલ પહોંચાડી હતી. અહીં તેની સારવાર કરનાર ડોક્ટરો પણ હાયકારો કાઢી જાય છે કે, આવી માસૂમ બાળકી ઉપર કોના હાથ ચાલ્યા હશે?
બાળકીના શરીર ઉપર 20થી વધુ ઈજાઓ
બાળકીના શરીર પર 20થી વઘુ ઇજાના નિશાન છે. બાળકીને કોણ ત્યજી દીધી. હથિયારથી માસૂમ પર હુમલો કોણે કર્યો આ ઘટના અંગે સવાલ ઉભા થઇ રહ્યાં છે.