રાજકોટઃ કોંગ્રેસ નેતા ઈન્દ્રનિલ રાજ્યગુરુનું મોટું નિવેદન સામે આવ્યું છે. ઈન્દ્રનિલ રાજ્યગુરને ભાજપની ઓફર મળી હોવાનું જણાવ્યું હતું. ઈન્દ્રનિલ રાજ્યગુરુએ જણાવ્યું કે તેમને ભાજપમાં જોડાવાની ઓફર મળી છે. મહત્વનું છે કે ઈન્દ્રનિલ રાજ્યગુરુ આ પૂર્વે કોંગ્રેસમાંથી રાજીનામું મુકી ચૂક્યા છે. જોકે કોંગ્રેસે તેમનું રાજીનામું સ્વીકાર્યું ન હતું. જોકે હવે ચૂંટણી નજીક આવતા ફરી એકવાર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજનીતિમાં ઓફરોનો દોર શરૂ થઈ ગયો છે. તેવા સમયે ઈન્દ્રનિલ રાજ્યગુરુનું આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે.
બીજી બાજુ ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નિવેદન મુદ્દે ભાજપે વળતો પ્રહાર કર્યો હતો. રાજકોટ ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂને કોઇ ઓફર અપાઇ નથી. કોંગ્રેસમાંથી રાજ્યગુરૂએ નાટકરૂપી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસમાં પરત ફરવા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ મહેનત કરે છે. કોંગ્રેસમાં પરત ફરવા ભાજપે ઓફર કરી હોવાની વાતો કરે છે. રાજકોટ ભાજપને ઇન્દ્રનીલ રાજ્યગુરૂની જરૂર નથી.
ત્યારે અનેક સવાલો થાય છે કે શું રાજનીતિમાં પણ હવે ઓફર દોર શરૂ થશે? રાજનીતિ શું કમાવાનું સાધન છે કે સેવાનું? શું નેતાઓ આ પ્રકારે જનતાની સેવા કરી શકશે? રાજકીય પાર્ટીઓ જ આ પ્રકારની ઓફર આપશે તો લોકોનું શું થશે? જનતાના પ્રશ્નો મહત્વના છે કે લાલચ? પાર્ટીઓ લાલચ આપીને નેતાઓને તોડશે તો કામ કેવી રીતે થશે? તોડજોડની રાજનીતિ મોટી કે જનતાની સેવા મોટી? શું સેવા કરવા પાર્ટી બદલવી જરૂરી છે? નેતાઓ મેવા ખાવા પાર્ટી બદલે છે કે સેવા માટે? લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર શરૂ થશે તોડજોડની રાજનીતિ?