શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે બુધવારે દાવો કર્યો છે કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી મુંબઇમાં જૂના ડોન કરીમ લાલાને મળવા આવતી હતી. સંજય રાઉતે કહ્યું કે એક સમય હતો જ્યારે દાઉદ ઇબ્રાહિમ, છોટા શકિલ, શરદ શેઠ્ઠી એ નક્કી કરતાં હતાં કે મુંબઇ પોલીસનો કમિશ્નર કોણ હશે?
શિવસેના નેતા સંજય રાઉતનું મોટું નિવેદન
કરીમ લાલાને મળŚતા હતા પૂર્વ PM ઇન્દિરા ગાંધી
મુંબઇ પોલીસ કમિશ્નર કોણ હશે? અંડરવર્લ્ડના લોકો કરતાં હતાં નક્કી
સંજય રાઉતે દાવો કર્યો કે એટલું જ નહીં આ લોકો એ પણ નક્કી કરતાં કે મંત્રાલયમાં કોણ બેઠશે? શિવસેના નેતા રાઉતે આગળ કહ્યું કે ઇન્દિરા ગાંધી કરીમ લાલાને મળવા જતા હતા. આપણે લોકોએ અંડરવર્લ્ડ ને જોયું છે.. હવે માત્ર ચિલ્લર છે.
સંજય રાઉતે મુંબઇમાં અંડરવર્લ્ડના દિવસોને યાદ કરતાં કહ્યું કે દાઉદ ઇબ્રાહિમ, છોટા શકિલ અને શરદ શેટ્ટી જેવા ગેંગસ્ટર મહાનગર અને આસ-પાસના વિસ્તારો પર નિયંત્રણ રાખતા હતા. ઉલ્લેખનીય છે કે સંજય રાઉત અગાઉ પત્રકાર હતા. સંજય રાઉતે આ અંગેની વાતચીત એક પુરસ્કાર સમારોહ દરમિયાન એક મીડિયા સમક્ષ કરી હતી.
સંજય રાઉતે દાવો કર્યો કે હાજી મસ્તાન જ્યારે મંત્રાલયમાં આવતો હતો ત્યારે મંત્રાલય તેને જોવા માટે નીચે આવતું હતું. ઇન્દિરા ગાંધી પાડધોની (દક્ષિણ મુંબઇમાં) માં કરીમ લાલાને મળવા આવતા હતા.
ઉલ્લેખનીય સંજય રાઉતની પાર્ટી શિવસેનાએ ગત વર્ષે મહારાષ્ટારમાં મહા અઘાડી ગઠબંધનમા NCP અને કોંગ્રેસ સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી છે. 1960થી 1980 સુધી મુંબઇના અંડરવર્લ્ડમાં ડોન કરીમ લાલાની ધાક હતી, કરીમ લાલાનું 2002માં મૃત્યું થયું.