રવિન્દ્ર ગુપ્તાએ કહ્યું કે ઓમિક્રોનની ઓછી ગંભીરતા સારા સમાચાર લાગી રહ્યા છે પણ આ એક વિકાસવાદી ભૂલ છે.
ઓમિક્રોનની ઓછી ગંભીરતા સારા સમાચાર લાગી રહ્યા છે, પણ આ...
કોરોનાનો નવો વેરિએન્ટ ખતરનાક થઈ શકે છે
સંક્રમણ બાદ પણ બચાવ નહીં, રસી જ ફરજિયાત
ઓમિક્રોનની ઓછી ગંભીરતા સારા સમાચાર લાગી રહ્યા છે, પણ આ...
ભારતીય મૂળના બ્રિટિશ વિશેષજ્ઞે ચેતવણી આપી છે કે કોરોનાના નેક્સ વેરિએન્ટ વધારે ઘાતક હોઈ શકે છે. કેમ્બ્રિજ ઈન્સ્ટીટ્યૂટ ફોર થેરેપ્યૂટિક ઈમ્યુનોલોજી એન્ડ ઈન્ફેક્શિયસ ડિસીઝમાં ક્લીનિકલ માઈક્રોબાયોલોજીના પ્રોફેસર રવિન્દ્ર ગુપ્તાએ કહ્યું કે ઓમિક્રોનની ઓછી ગંભીરતા સારા સમાચાર લાગી રહ્યા છે. હકિકતમાં આ વાયરસના સ્વરુપમાં પરિવર્તનમાં વિકાસવાદી ભૂલ છે.
કોરોનાનો નવો વેરિએન્ટ ખતરનાક થઈ શકે છે
પ્રાકૃતિક રીતે ભૂલ મજબૂત થશે તો તે કોરોનાનો નવો વેરિએન્ટ ખતરનાક થઈ શકે છે. ગુપ્તાએ ઓમિક્રોન પર અધ્યયન બાદ કહ્યું કે હકિકતમાં ઓમિક્રોન જે કોશિકાઓને સંક્રમિત કરી રહ્યો છે. તે ફેફસામાં ઘણો ઓછો જોવા મળે છે. જેનાથી તે એટલો ગંભીર નથી લાગી રહ્યો. જ્યારે હકિકતમાં આ સંક્રમણ કોઈ પણ રીતે હળવો નથી.
વાયરસ સમયની સાથે હળવો થતો જઈ રહ્યો પણ...
પ્રો. ગુપ્તાએ કહ્યું કે સામાન્ય રીતે માનવામાં આવે છે કે વાયરસ સમયની સાથે હળવો થતો જઈ રહ્યો છે પરંતુ દીર્ઘકાલિક વિકાસવાદી પરિણામ હોય છે. કોવિડના મામલામાં એ દોર નથી આવ્યો. આ તેજીથી ફેલાઈ રહ્યો છે. વાયરસ જૈવિક વ્યવહારમાં ફેરફારનો ઈરાદો નથી જણાઈ રહ્યો. બસ ભૂલતી આવું થઈ ગયું કે તેણે કોશિકાઓ પર હુમલો કર્યો, જે ફેફસામાં ઓછો હોય છે. આ હાલમાં સારા સમાચાર લાગી રહ્યા છે પરંતુ નવો વેરિએન્ટથી ખતરનાક હોઈ શકે છે. કોઈ એક એવો હશે તે તેજીથી ફેલાશે તથા ગંભીર રુપથી બિમારી બનશે.
સંક્રમણ બાદ પણ બચાવ નહીં, રસી જ ફરજિયાત
આ વેરિએન્ટના સંક્રમણને પ્રાકૃતિક રસી તરીકે જોનારા લોકોનો દ્રષ્ટિકોણ સમજવો જોઈએ. પરંતુ સંક્રમણના પ્રસારને રોકવાના પ્રયાસ છોડવો ખતરનાક હોઈ શકે છે. કેમ કે આ ફક્ત એક ધારણા છે. તેમણે બ્રિટિશ સરકારને સલાહ આપી છે કે હજું પણ આ તેજીથી વ્યાપક રસીકરણ જ કોવિડની વિરુદ્ધ એકમાત્ર પાક્કો ઉપાય છે. જ્યારે આપણી સામે એક કથિત રુપથી ગંભીર બિમારી પેદા કરનાર વેરિએન્ટ છે તો આપણે તેનો ફાયદો ઉઠાવી વધારે લોકોનું રસીકરણ કરવું જોઈએ.