કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખતા ભારતીય નૌસેના 18 માર્ચ થી વિશાખાપટ્ટનમાં કેટલાંક દેશોની સાથે યોજાનારા યુદ્ધાભ્યાસને રદ્દ કરી શકે છે. આ અંગેની સૂત્રોએ જાણકારી આપી છે.
ભારતીય નૌસેના મિલાન-2020 યુદ્ધાભ્યાસ કરી શકે છે રદ્દ
આ સંયુક્ત યુદ્ધાભ્યાસમાં 40 દેશ સામેલ થવાની સંભાવના
આ સાથે સરકારે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનાથી 2,500 શંકાસ્પદ કેસ સામે આવતાં તેના દર્દીઓને અલગ રાખી સુવિધાઓ આપવા માટે પોતાને તૈયાર કરવા માટે જણાવ્યું છે.
સરકારી સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ મિલાન સંયુક્ત યુદ્ધાભ્યાસની નવી તારીખો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ મોટા સંયુક્ત યુદ્ધાભ્યાસમાં અંદાજે 40 દેશ સામેલ થવાની સંભાવના છે.
ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસે હવે અન્ય દેશોમાં પણ હાહાકાર મચાવ્યો છે. વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 3168 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 92 હજાર 880 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. અમેરિકામાં પણ કોરોના વાયરસનો આતંક જોવા મળ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે 9 લોકોના મોત નિપજ્યા છે. વિશ્વભરમાં વધુ 51 લોકોના મોત નિપજ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં 2 હજાર 945 લોકોનાં મોત નિપજ્યાં છે.