બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / india vs south africa team india test series playing 11 chance hanuma vihari cheteshwar pujara

ફેરફારના એંધાણ ? / ધીમી બેટિંગનાં કારણે રાજકોટનો આ ખેલાડી ટીમ ઈન્ડિયામાંથી થઈ શકે છે 'OUT'! અય્યરની એન્ટ્રી પર વિચાર

Premal

Last Updated: 01:11 PM, 22 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેતેશ્વર પૂજારા જ્યારે પણ ક્રીઝ પર આવે છે. તેમની બેટીંગ જોઈને તેના પ્રશંસકોનો મૂડ મરી જાય છે. ચેતેશ્વર પૂજારા જરૂરિયાત કરતા વધુ સુરક્ષિત બનીને રમે છે, જેના કારણે ઘણી વખત ભારતીય ટીમને નુકસાન ઉઠાવવુ પડે છે. પૂજારા છેલ્લાં લાંબા સમયથી નબળા પર્ફોમન્સથી ઝઝૂમી રહ્યાં છે.

  • ટેસ્ટ મેચમાં ચેતેશ્વર પૂજારાનું નબળુ પર્ફોમન્સ
  • દ.આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં આ બે ખેલાડીઓ લેશે પૂજારાનું સ્થાન?
  • જેમાં એક ખેલાડીએ ન્યુઝીલેન્ડ સામે ગત મહિને ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતુ

કોણ લેશે ટેસ્ટ મેચમાં પૂજારાનું સ્થાન? 

પૂજારાની ધીમી બેટીંગના કારણે તેઓ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ ઈવેલનમાં બંધબેસતા નથી. પૂજારાએ અત્યાર સુધી જે રીતે બેટીંગ કરી છે, તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. પૂજારા ખરાબ બોલમાં પણ રન બનાવવાની તક ગુમાવતા હોય છે. તો આવો કયા એવા બે ખેલાડી છે, જે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં પૂજારાનું સ્થાન લઇ શકે છે.

હનુમા વિહાર

હનુમા વિહારીનો રેકોર્ડ જોઈએ તો તેમને નંબર ત્રણ પર ચેતેશ્વર પૂજારાની જગ્યાએ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યાં છે. ભારતીય ટીમના વિશ્વાસપાત્ર બેટ્સમેન હનુમા વિહારી અવાર-નવાર પ્લેઈંગ ઈલેવનમાંથી ઈન-આઉટ થતા રહે છે. ભારતીય ટીમ ચેતેશ્વર પૂજારાની જગ્યાએ હનુમા વિહારીને ત્રણ નંબરે તક આપી શકે છે. 27 વર્ષના હનુમા વિહારીએ 12 ટેસ્ટ મેચોમાં 32.84ની સરેરાશથી 624 રન બનાવ્યાં છે. 

શ્રેયસ ઐયર

સાઉથ આફ્રિકા સામેની 3 ટેસ્ટ મેચોની શ્રેણી માટે શ્રેયસ ઐયરનો ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પૂજારાની ફ્લોપ બેટીંગને કારણે શ્રેયસ ઐયર પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. શ્રેયસ ઐયરે ન્યુઝીલેન્ડ સામે ગત મહિને ટેસ્ટમાં ડેબ્યુ કર્યુ હતુ. શ્રેયસ ઐયરે પોતાની ડેબ્યુ મેચમાં ધમાકેદાર સદી ફટકારી તેને યાદગાર બનાવી હતી. પસંદગીકારોએ શ્રેયસ ઐયરને ટેસ્ટ ટીમમાં સામેલ કરી ચેતેશ્વર પૂજારાની જગ્યાએ દાવેદારી પાક્કી કરવાની દિશામાં મજબુત પગલુ ઉઠાવ્યું છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ