ભારત અને પાકિસ્તાનની મેચ હોય ત્યારે દેશમાં હંમેશા અનોખો માહોલ જોવા મળતો હોય છે. દેશમાં જાણે કરફ્યૂ હોય એવું વાતાવરણ સર્જાતું હોય છે. ત્યારે આજે એશિયાકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ જામશે. પાકિસ્તાનને હરાવવા માટે ભારતીય ટીમે પણ પૂરતી તૈયારી કરી લીધી છે.
જેથી પાકિસ્તાનને ટક્કર આપવા ભારતીય ટીમ મેદાને ઉતરશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ યોજાશે. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ હોવાથી મેચના ચાહકોમાં પણ ભારે ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ભારતે હોંગકોંગને ધૂળ ચટાવી છે. જેમાં શિખર ધવને 127 રન બનાવ્યા હતા અને તેઓ મેન ઓફ ધ મેચ જાહેર થયા હતાં.
આ ટુર્નામેન્ટમાં ભારતના કાયમી કપ્તાન વિરાટ કોહલની આરામ આપવામાં આવ્યો છે અને રોહિત શર્માની આગેવાનીમાં કેન્દ્ર પર એ વાત પર રહેશે કે વિરાટની અનુપસ્થિતિમાં ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનના ખેલાડીઓ સામે કેવી રીતે બાથ ભીડે છે.
ખાસ કરીને પાક.ના તોફાની બોલર મોહમ્મદ આમીર સામે ભારતીય ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે. આ સિવાય પણ ટીમમાં ઉસ્માન ખાન અને હસન અલી પણ સામેલ છે. ઉસ્માને હોંગકોંગ વિરૂધ્ધ ની મેચમાં 3 વિકેટ લીધી હતી.