રક્ષા ક્ષેત્રમાં ભારતને મોટી સફળતા મળી છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે બેિલસ્ટિક મિસાઇલનું સફળ નાઇટ ફાયરિંગ પરીક્ષણ કર્યું છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડે આ ટેસ્ટ ઓડિશાના તટ પર કર્યો છે. સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા દેશની તમામ બેિલસ્ટિક મિસાઇલ કંટ્રોલ કરાય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાંં ૧ર જૂને ભારતીય રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને ભવિષ્યમાં ઘણાં મિશનને અંજામ આપનારા એક મહત્ત્વપૂર્ણ ટેક્નોલોિજકલ ડેમોન્સ્ટ્રેટર મિસાઇલ વિહિકલનું પહેલું સફળ પરીક્ષણ કર્યું હતું.
આ પરીક્ષણ ડીઆરડીઓએ બંગાળની ખાડીમાં ડો.અબ્દુલ કલામ દ્વીપના આઇટીઆરના પ્રક્ષેપણ પિરસર-૪થી દિવસે લગભગ ૧૧-રપએ કર્યું ત્યારે ડીઆરડીઓએ કહ્યું હતું કે એચએસટીડીવી હાઇપરસોનિક ગતિથી ઉડાન ભરનાર યાન માટે માનવરહિત પ્રદર્શક વાહન છે, જે ર૦ સેકન્ડમાં મેક-૬ની ગતિથી અને ૩ર.પ કિ.મી. ઊંચાઇ સુધી જઇ શકે છે.
હાઇપરસોનિક અને લાંબા અંતરનાં ક્રૂઝ મિસાઇલ માટે યાન તરીકે પ્રયોગ કરવા ઉપરાંત તે એક બેવડા ઉપયોગની ટેક્નોલોજી છે, જે ઘણાં અસૈન્ય કાર્યમાં પણ ઉપયોગમાં લેેવાશે. ભારતે પોતાનાં પરમાણુ હથિયારોના જથ્થામાંથી અડધાથી વધુ એટલે કે પ૬ ટકા ભાગ જમીનથી જમીન પર વાર કરનાર પૃથ્વી અને અગ્નિ જેવી બેિલસ્ટિક મિસાઇલમાં તહેનાત કરી રાખ્યો છે.
ભારતે સેના દ્વારા ઉપયોગમાં લેવા માટે પરમાણુ સક્ષમ પૃથ્વી-રનું ઓડિશાના તટની પરીક્ષણ રેન્જમાં સફળ પરીક્ષણ કર્યું છે. સૂત્રોએ જણાવ્યું કે આ મિસાઇલનું પરીક્ષણ લગભગ રાત્રે ૮-૩૦ વાગ્યે ચાંદીપુરમાં પરીક્ષણ રેન્જના લોન્ચ કોમ્પ્લેકસ-૩થી કરાયું છે. આ મિસાઇલની મારકક્ષમતા ૩પ૦ કિ.મી. સુધીની છે. આ એક નિયમિત પરીક્ષણ હતું.