બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / India reports 2,82,970 COVID cases, 441 deaths, and 1,88,157 recoveries in the last 24 hours.

ચિંતાજનક / કોરોનાની ખતરનાક ગતિ : 24 કલાકમાં નોંધાયા 2 લાખ 82 હજારથી વધુ નવા કેસ, એક્ટિવ કેસનો આંક 18 લાખને પાર

ParthB

Last Updated: 10:36 AM, 19 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા કેસો 2.82 લાખને પાર પહોંચી ગયાં છે. જ્યારે 441 લોકોના મોત થયા છે.

  • દેશમાં દૈનિક પોઝિટીવી રેટ 15.13 % પર પહોંચ્યો 
  • એક્ટિવ કેસનો આંક વધીને 18.31 લાખ પર પહોંચ્યો 
  • અત્યાર સુધીમાં 158 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

દેશમાં દૈનિક પોઝિટીવી રેટ 15.13 % પર પહોંચ્યો 

દેશમાં જીવલેણ કોરોના વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 82 હજાર 970 નવા કેસ નોંધાયા છે અને 441 લોકોના મોત થયા છે.  

એક્ટિવ કેસનો આંક વધીને 18.31 લાખ પર પહોંચ્યો 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 18 લાખ 30 હજાર થઈ ગઈ છે. બીજી બાજુ, આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 87 હજાર 202 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે એક લાખ 88 હજાર 157 લોકો સાજા થયા હતા, આમ અત્યાર સુધીમાં 3 કરોડ 55 લાખ 83 હજાર 39 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે.

અત્યાર સુધીમાં 158 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં એન્ટી-કોરોનાવાયરસ રસીના 158 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 76 લાખ 35 હજાર 229 ડોઝ આપવામાં આવ્યા હતા, આમ અત્યાર સુધીમાં રસીના 158 કરોડ 88 લાખ 47 હજાર 554 ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 8961 કેસ નોંધાયા છે

દેશમાં અત્યાર સુધીમાં 8 હજાર 961 લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માહિતી આપી છે કે ગઈકાલે (મંગળવાર) ભારતમાં કોરોના વાયરસ માટે 18 લાખ 69 હજાર 642 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે અત્યાર સુધીમાં કુલ 70 કરોડ 74 લાખ 21 હજાર 650 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ