ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વચ્ચે યોજાનારી મુલાકાત રદ થઈ છે. મુલાકાત રદ થતાં પાકિસ્તાન હવે ઉશ્કેરાયુ છે. જેથી હવે પાકિસ્તાન ભારત વિરૂદ્ધ નિવેદનો આપી રહ્યું છે. પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ સુષ્મા સ્વરાજ સાથેની મુલાકાત રદ થતાં આ મુલાકાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે.
તેઓએ આરોપ લગાવ્યો છે કે ભારત આંતરિક દબાણને વશ થઈને આ દુર્ભાગ્યપૂર્ણ પગલું ઉઠાવવા મજબૂર થયું છે. ભારતે મુલાકાતને લઈને કહ્યું કે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનની નિયત અને અસલી ચહેરો કાર્યકાળ શરૂ થતા જ સામે આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે કે શુક્રવારે જમ્મૂ-કશ્મીરમાં 3 પોલીસકર્મી અને એક બીએસએફના જવાનની બર્બરતા પૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે એક તરફ આતંકવાદ અને બીજી તરફ વાતચીતનો પ્રસ્તાવ કેવી રીતે શય બની શકે. જેના પગલે આ મુલાકાત રદ કરવામાં આવી છે. એટલું જ નહીં પાકિસ્તાન સામે કડક પગલા લેવા માટે પણ આદેશ આપી દેવાયો છે.
આપને જણાવી દઇએ કે વિદેશમંત્રી સ્તરની આ મુલાકાત આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં થવાની હતી. જો કે કેટલાક આંતરિક કારણોસર રદ થતાં પાકના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ આ મુલાકાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.