બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / income tax department is sending a notice to taxpayers for their itr filing

કામની વાત / શું IT રિટર્ન ફાઇલ કર્યા બાદ પણ ઇન્કમટેક્સ વિભાગ પાઠવી રહ્યું છે નોટિસ? તો જાણો કેમ, હોઇ શકે છે આ કારણ

Bijal Vyas

Last Updated: 09:34 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Notice: યોગ્ય રીતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા બાદ હજારો ટેક્સપેયર્સને મળી રહી છે નોટિસ, જાણો શું છે કારણ?

  • ઘણા ટેક્સપેયર્સને કલમ 143(1) હેઠળ નોટિસ મળી છે.
  • એસિસમેન્ટ વર્ષ 2023-2024 માટે કલમ 80P હેઠળ કપાતનો દાવો કરી શકે નહીં
  • એકલ વ્યક્તિઓ આ કપાત માટે પાત્ર નથી

Income Tax Notice: નાણાકીય વર્ષ 2022-2023 અને એસિસમેન્ટ યર 2023-2024 માટે ITR સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023 હતી. આવકવેરા વિભાગ હાલમાં ટેક્સપેયર્સને તેમના ફાઇલ કરેલા રિટર્ન માટે રિફંડ આપવા માટે કામ કરી રહ્યું છે. આ સિવાય આવકવેરા વિભાગ ઘણા કરદાતાઓને નોટિસ પણ મોકલી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, હજારો લોકોને ફરી એકવાર નોટિસ મળી છે અને તેમણે 15 દિવસમાં જવાબ આપવાનો છે. ઘણા ટેક્સપેયર્સને કલમ 143(1) હેઠળ નોટિસ મળી છે. તેને પૂછવામાં આવ્યું કે, તેણે સેક્શન 80P હેઠળ ટેક્સ કપાતનો દાવો કેમ કર્યો? સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં હજારો ટેક્સપેયર્સને આ નોટિસ મોકલવામાં આવી છે.

IT રિટર્ન ભરતી વખતે આ ભૂલથી બચીને રહેજો, નહીં તો Income Tax વિભાગ ફટકારશે  નોટિસ | Avoid this mistake while filing IT return otherwise the Income Tax  Department will issue a notice

સેક્શન 80P શું છે?
એકલ વ્યક્તિઓ આ કપાત માટે પાત્ર નથી. આ વિકલ્પ માત્ર સહકારી મંડળીઓ પાસે જ ઉપલબ્ધ છે. કુલ આવકની ગણતરી કરતી વખતે બેંકિંગ અથવા ક્રેડિટ સુવિધાઓ, કૃષિ પ્રવૃત્તિ અને ઉત્પાદનો અથવા કુટીર ઉદ્યોગમાંથી આવક મેળવતી સહકારી મંડળીને કલમ 80P હેઠળ રૂ. 15,000 અને રૂ. 20,000 વચ્ચેની કપાતની મંજૂરી છે. 

આખરે કેમ મોકલ્યા છે નોટિસ, શું છે મામલો ?
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના જણાવ્યા અનુસાર, કલમ 143(1) (A) હેઠળ ખોટી નોટિસો કલમ 80P કપાતનો દાવો કરવા માટે મોકલવામાં આવી રહી છે. અમે અમારા ગ્રાહકો માટે આ કપાતનો દાવો કર્યો ન હોવાથી તેઓ તેનો દાવો કરવા પાત્ર નથી. આ નોટિસો વ્યક્તિગત આવકવેરા રિટર્ન માટે મોકલવામાં આવી રહી છે, સહકારી મંડળીઓ દ્વારા ફાઇલ કરાયેલા રિટર્ન માટે નહીં.

Tag | VTV Gujarati

શું સિસ્ટમમાં થઇ ગડબડ?
આવકવેરા વિભાગ દ્વારા ઈમેલમાં એક નોટિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિઓ એસિસમેન્ટ વર્ષ 2023-2024 માટે કલમ 80P હેઠળ કપાતનો દાવો કરી શકે નહીં. જે લોકોને નોટિસ મળી છે તેમને જવાબ આપવા માટે IT વિભાગ દ્વારા 15 દિવસની સમય મર્યાદા આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ