આજે દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ રહી છે. ભગવાન શ્રીકૃષ્ણનુ નામ આવતા જ મનમાં નટખટ બાળગોપાલની છબી દેખાવવા લાગે છે.
માથા પર સુંદર મોરપીંછ, હાથમાં વાંસળી, જાણે એવુ લાગે છે કે નાનકડો કાન્હો સાક્ષાત દર્શન આપવા માટે આવ્યો હોય. જન્માષ્ટમીની પૂજા કરતી વખતે ભગવાનનો શ્રૃંગાર પર વધારે મહત્વ આપવામાં આવે છે. મોરપીંછ અને વાસંળી સહિત આઠ એવી વસ્તુઓને શામેલ કરવામાં આવે છે જે ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય છે.
મોરપીંછ:
કહેવામાં આવે છે રાધા રાણીના મહેલમાં ઘણા મોર હતા. જ્યારે પણ ભગવાન શ્રીકૃષ્ણની વાંસળીને ધૂન પર રાધાની સાથે મોર પણ નૃત્ય કરવા લાગતા હતા. એક દિવસ એક મોરનું પીંછું નૃત્ય કરતી વખતે જમીન પર પડી ગયુ જેને ભગવાન શ્રીકૃષ્ણને તરત જ ઉઠાવીને પોતાના મુગટ પર લાગવી દીધુ. ભગવાન શ્રીકૃષ્ણના મુગટ સ્થિત આ મોરપીંછ રાધાના પ્રેમની નિશાની માનવામાં આવે છે એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની પૂજામાં મોરપીંછનું મહત્વ છે.
મુગટ:
જ્યોતિષ અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણની કુંડળીમાં કાલસર્પ યોગ હતો. જેથી તેઓ રોજ મુગટમાં મોરપીંછ ધારણ કરતા હતા. મોર અને સાપમાં શત્રુતા હોવાને કારણે માથા પર મુગટ ધારણ કરવાથી કાલસર્પ દોષ ખત્મ થાય છે. ભગવાનની પૂજામાં તેને મોર મુગટ પહેરાવાથી કાલસર્પ પ્રભાવ દૂર થાય છે.
વાંસળી:
જેમ ભગવાન રામની ઓળખ ધનુષ છે તેમ શ્રીકૃષ્ણની વાંસળી, ભગવાન કૃષ્ણની વાંસળીને મધૂર ધૂન સાંભળીને ગોપીઓ મંત્રમુગ્ધ થઇ જતી. ભગવાનની વાંસળી પ્રેમ અને આનંદનું પ્રતિક છે. જન્માષ્ટમીના ઉત્સવમાં કૃષ્ણના શ્રૃંગારની સામગ્રીમાં વાંસળીને સામેલ કરવાથી ગૃહસ્થ જીવનમાં પ્રેમ અને આનંદ વધે છે.
માખણ-મિસરી:
બાલગોપાલને માખણ લોકપ્રિય છે. કહેવાય છે કે, રાત્રે કાન્હાનો જન્મ થયો ત્યારે રાત્રે નંદ ગામની ગોપીઓએ સપનામાં જોયુ કે કાન્હો માખણ માગી રહ્યો છે. નંદલાલને માખણ એટલુ પ્રિય હતુ કે તેઓ માખણને મટકીઓમાંથી પણ ચોરીને ખાતા હતા, જેથી તેમણે માખણચોર કહેવામાં આવે છે. ભગવાનના ભોગમાં માખણ-મિસરીને જરૂરથી સામેલ કરો.
પારણું:
ભગવાન ભક્તિના ભૂખ્યા છે. બાલગોપાલને જન્માષ્ટમીમાં પારણમાં ઝૂલાવવાની પંરપરા વર્ષોથી ચાલી રહી છે. જે રીતે બાળકનો જન્મ પછી ઉછેરવામાં આવે અને ઝુલાવવામાં આવે તેવી રીતે બાલગોપાલને પણ પારણાં ઝૂલાવવા જોઇએ.
નવા વસ્ત્રો:
જન્મોત્સવ સમયે ભગવાનના બાળ સ્વરૂપને સ્નાન કરાવ્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરાવવામાં આવે છે. જો તમે પણ આ વખતે જન્મોત્સવ માટે તૈયારી કરતા હોવ તો પૂજાની સામગ્રીમાં ચોક્કસથી પીળા વસ્ત્રો ધરાવજો.
ગાય:
ભગવાન કૃષ્ણનું નિવાસ ગૌલોક માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની પૂજાની સાથે સાથે વાછરડાની સાથે ગાયની પૂજા કરવાથી સમુદ્ઘિમાં વધારો થાય છે. પુરાણોમાં ગાયને ધર્મનું પ્રતિક માનવામાં આવે છે. ભગવાન ધર્મ રૂપી ગૌ માતાના રક્ષક છે.
ગીતાની પોથી:
ભગવાન કૃષ્ણને મહાભારતમાં યુદ્ઘ દરમિયાન પોતાના પ્રિય મિત્ર અને પાંડવોમાંથી સૌથી શ્રેષ્ઠ અર્જૂનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો, જેથી ભગવાનની પૂજામાં ગીતાની પોથી જરૂરથી રાખવી જોઇએ અને રાત્રે જાગરણ કરતી વખતે ગીતાનો પાઠ કરવો જોઇએ.