બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In the Aravalli district the very beginning of summer is the cry of water
Vishal Khamar
Last Updated: 03:17 PM, 10 March 2024
અરવલ્લી જિલ્લામાં જિલ્લાની જીવાદોરી સમાન મુખ્યત્વે માઝુમ , મેશ્વો , વાત્રક ,વૈડી અને લાંક એમ છ જળાશયો આવેલા છે.ઉનાળો હવે શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં આ જળાશયોમાં સતત ઘટતો પાણીનો જથ્થો જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ બન્યો છે. ખાસ કરીને જિલ્લાના માઝુમ , મેશ્વો અને વાત્રક જળાશયો માંથી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓ હેઠળ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે બીજી તરફ શિયાળુ પાક માટે પણ આ ડેમો માંથી પાંચ થી છ વખત પાણી પિયત આપવામાં આવ્યું છે તેવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા ખેડૂતોની આવનાર ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણી ને લઇ ચિંતા વધી છે.
પીવાના પાણી માટે આગોતરૂ આયોજન કરવા ખેડૂતોની માંગ
ઉનાળાની શરૂઆતમાં જિલ્લાના મોડાસાના માજમ જળાશયમાં ૨૬ ટકા, શામળાજી મેશ્વો જળાશયમાં ૨૫ ટકા , બાયડ વાત્રક જળાશયમાં ૩૯ ટકા પાણીનો જથ્થો છે તેવા સંજોગોમાં આવનારો ઉનાળો જિલ્લાવાસીઓ માટે આકરો જાય તેવું હાલ જોવા મળી રહ્યું છે જોકે તંત્ર દ્વારા પીવાના પાણી માટે આગોતરું આયોજન કરવામાં આવતા પીવાના પાણી માટે સમસ્યા નહિ સર્જાય પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પિયત પાણી નહિ મળવાના કારણે ખેડૂતો માટે સમસ્યા સર્જાય તેવું દેખાઈ રહ્યું છે.
સરકાર દ્વારા નર્મદાના નીર જળાશયોમાં નાંખવામાં આવે તેવી ખેડૂતોની માંગઃ દિનેશભાઈ પટેલ (ખેડૂત)
આ બાબતે ખેડૂત દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ ઓછો હોવાના કારણે માર્ચ મહિનામાં પણ પાણીની સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉનાળામાં ખેતી તેમજ પીવા માટે પાણીની સમસ્યા સર્જાય તેમ છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે જો નર્મદાનું પાણી પાઈપ લાઈન મારફતે ડેમમાં નાંખવામાં આવે તો તેનાથી ઉનાળુ ખેતીને પણ લાભ મળે તેમજ પીવાના પાણીની સમસ્યા પણ હલ થાય તેમ છે.
વધુ વાંચોઃ હવે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, PM મોદીના હસ્તે કરાશે લોકાર્પણ, જાણો ક્યારે?
જળાશયોમાં પાણીની જે રીતે પરિસ્થિતિ હશે તે મુજબ નિર્ણય લેવામાં આવશેઃ નીરવભાઈ પટેલ (સિંચાઈ અધિકારી)
આ બાબતે સિંચાઈ અધિકારી નીરવભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલના તબક્કાની પાણીના જથ્થાની ત્રણેય જળાશયોમાં જે પરિસ્થિતિ છે. પાણી પીવાનાં જથ્થાની જે જરૂરિયાત છે. જુલાઈ મહિનાથી એ પ્રમાણે ઉનાળો પૂર્ણ થઈ જાય અને જુલાઈ મહિનો એન્ડ થાય ત્યાં સુધી ત્રણેય જળાશયોમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહી. ઉનાળાનાં સિંચાઈની વાત કરીએ તો વાત્રક જળાશય યોજનામાં જે તે સમયે જરુરીયાત ઉભી થશે. અને પાણીની જે રીતે પરિસ્થિતિ હશે તે મુજબ નિર્ણય લેવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army