બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / In Gujarat, 204 positive cases of Corona, 24 cases of Omicron
Vishnu
Last Updated: 08:12 PM, 27 December 2021
ગુજરાત કોરોના કેસોમાં એકાએક ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અધધ 204 કોરોનાના કેસો સામે આવતા હંડકપ મચ્યો છે. તંત્ર પણ સંભવિત ત્રીજી લહેરને લઈ સતર્ક થઈ ગયું છે. અમદાવાદમાં સૌથી વધુ 100 કેસ આવતા આરોગ્ય વિભાગ ફરી સતર્ક થઈ ગયું છે. તો સામે ઓમિક્રૉનના કેસોમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 24 કેસ ઓમિક્રૉન વેરિયન્ટના બહાર આવતા ત્રીજી લહેરની શરૂઆતના ભણકારા વાગી ચૂક્યા છે.
રાજ્યમાં ઓમિક્રોનના કુલ 24 કેસ નોંધાયા
ગુજરાતમાં ઓમિક્રોનને વધુ મોટી છલાંગ લગાવી છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 24 કેસ સામે આવતા કુલ આંકડો 73 કેસ પર પહોંચી ગયો છે. જો જિલ્લા વાઈઝ ઓમિક્રોન કેસો પર નજર કરીએ તો અમદાવાદમાં 13 કેસ, ગાંધીનગરમાં 4 કેસ, રાજકોટમાં 3 તો વડોદરા, અમરેલી, આણંદ અને ભરૂચમાં એક-એક ઓમિક્રોનનો કેસ બહાર આવ્યો છે. સારી વાત એ છે કે ઓમિક્રોન વેરિયન્ટને માત આપીને 17 દર્દીએ આજે ડિસ્ચાર્જ લીધું છે. પણ ખતરા રૂપ માહિતી એ છે કે અમદાવાદ અને રાજકોટ મળીને ઓમિક્રોન ગ્રસ્ત કુલ 6 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી નથી જે તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયું છે.
કોરોનાના જિલ્લા પ્રમાણે કેસ
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં આજે કોરાનાના વધુ 204 કેસ પોઝિટિવ મળ્યા છે. કોરોનાને માત આપીને 65 દર્દી ડિસ્ચાર્જ થતાં રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1086 સુધી પહોંચી ગઈ છે. કોરોનાગ્રસ્ત 14 દર્દી વેન્ટિલેટર તો આજે કોરોનાને કારણે જામનગરના એક દર્દીનું મૃત્યુ પણ નીપજ્યું છે. અમદાવાદમાં આજે સૌથી વધુ 100 કેસ નોંધાતા ફરી બીજી લહેર વાળી થવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. રાજકોટમાં 36 કેસ, સુરતમાં 23 કેસ, વડોદરામાં 17 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ખેડામાં 4 કેસ, મહીસાગરમાં 3 કેસ, આણંદમાં 2 કેસ, ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ તો સુરેન્દ્રનગર, વલસાડ, મહેસાણા, નવસારી, પંચમહાલ, બનાસકાંઠા, ભાવનગરમાં એક- એક કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે.
આરોગ્યમંત્રીએ વ્યક્ત કરી ચિંતા
રાજ્યમાં કોરોના કેસનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મહેસાણા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આરોગ્યમંત્રીએ કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. કોરોનાની ત્રીજી લહેરને લઈને મંત્રી ઋષિકેશ પટેલે જણવ્યું હતં કે ત્રીજી લહેર આવે તેવા એંધાણ દેખાઇ રહ્યાં છે, કોરોના સામે સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્રીજી લહેરને લઇ રાજ્ય સરકાર સજ્જ છે, મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં કહ્યું કે હોસ્પિટલમાં ICU બેડ સહિત તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્યલક્ષી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે.
કોરોનાની ત્રીજી લહેરને લઇ બોલ્યાં આરોગ્યમંત્રી
જે રીતે હાલ રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે રાજકોટની શાળામાં 11 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. રાજકોટ અમરનગરની શાળામાં બાળકો કોરોના પોઝિટિવ આવતા તંત્રએ શાળાને નિશ્વિત સમય માટે બંધ કરવાનો આદેશ કર્યો છે. અમરનગર શાળામાં 7 વિદ્યાર્થીઓઓ તેમજ બે શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army