બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયમાં રહેલા હિન્દુઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા જેવી વધુ એક ઘટના. સમગ્ર બાંગલાદેશમાં તણાવભર્યો માહોલ. હિંદુ સમાજના ઉગ્ર વિરોધ -પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરાઈ
મંદિરની બહાર પ્લાસ્ટિક થેલીમાં ગૌમાસ લટકાવાયું
અલ્પસંખ્યક હિંદુ સમાજના ધરણા-ઉગ્ર વિરોધ પ્રદર્શન
બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયમાં રહેલા હિન્દુઓની ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવા જેવી વધુ એક ઘટના સામે આવી છે. અહીના લાલમોનીરહાટ જીલ્લામાં કેટલાક કટ્ટરપંથી તત્વોએ કથિત રીતે હિન્દુઓના મંદિર બહાર પ્લાસ્ટીકની થેલીમાં ગૌમાંસ ભરીને લટકાવી દીધું હતું.આ ઘટના બાદ સમગ્ર બાંગલાદેશમાં તણાવભર્યો માહોલ છે. હિંદુ સમુદાયે ભારતની બાજુમાં આવેલા શહેરોમાં જબરજસ્ત દેખાવો કર્યા છે.
પોલીસે ચાર ફરિયાદ કરી દાખલ
મંદિરોને અપવિત્ર કરવાની આ ઘટના લાલમોનીહર હાટનાં હાતીબંદ વિસ્તારના ગેન્દુકુરી ગામમાં ઘટી છે. અહીં ત્રણ હિંદુ મંદિર અને એક ઘરની બહાર શુક્રવારે સવારે પોલીથીન બેગમાં ગૌમાંસ લાત્કાયેલું જોવા મળ્યું . આ બાદ, હિંદુ સમાજે ધરના -દેખાવો શરુ કરી દીધા. પોલીસે આ કેસમાં ચાર ફરિયાદ દાખલ કરી છે