અસાજિક તત્વોને કારણે અમદાવાદ શહેરની શાંતિ કારણે ખોરવાતા શહેરીજનોમાં ડર જોવા મળી રહ્યો છે
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો
ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
યુવકનું અપહરણ કરી પગ તોડી નાખ્યાં, આંગળી કાપી
અમદાવાદમાં અસમાજિક તત્વોના આતંક વધતો હોવાનું સામે આવ્યું છે. અસાજિક તત્વોને કારણે અમદાવાદ શહેરની શાંતિ કારણે ખોરવાતા શહેરીજનોમાં ડર જોવા મળી રહ્યો છે અને ભયના ઓથાર હેઠળ હોય તેવું લાગી રહ્યું છે. ગઈ કાલે ગોમતીપુરમાં અસમાજિક તત્વોએ યુવકનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો
પગ તોડી નાખ્યાં, એક આંગળી પણ કાપી
ગોમતીપુરના યુવકનું ગળા પર કટાર મુકીને તેનું અપહરણ કરવામાં બાદમાં તેને અવાવરું જગ્યામાં લઈ જઈને ઢોર માર મારવામાં આવ્યો. યુવકને એટલી હદે માર માર્યો કે યુવકનો હાથ પગ પણ તોડી નાખવામાં આવ્યા અને એટલું જ નહીં યુવકની એક આંકળી પણ કાપી નાંખી યુવકને અધમુવો કરી તેને મરવા માટે છોડી દીધો.
યુવકનું અપહરણ કરી માર માર્યો
જોકે બાદમાં જેમ તેમ કરીને યુવક સલામત રીતે ઘરે પહોંચ્યો જેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હાલ તો સમગ્ર મામલો યુવકે પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે પરતું હજું સુધ કોઈ પણ વ્યક્તિની અટકાયત અને ધરપકડ કરવામાં આવી નથી જેને લઈ પોલીસને કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો
શહેરમાં બનેલી આ અમાનવીય ઘટના બાદ હાલ શહેરીજનોમાં ખોફ અને ભય જોવા મળી રહ્યો છે શહેરમાં બનેલી આ ઘટનાને પગલે સૌ કોઈમાં આવા અસમાજિક તત્વો પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.