ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને મંગળવારે કહ્યું કે ભારતમાં 2019ની લોકસબા ચૂંટણી બાદ ફરી એક વાર દોસ્તીનો હાથ વધારશે. તેમનું માનવું છે કે નવી દિલ્હીએ તેમની વાતચીતની રજૂઆતને એટલા માટે ઠુકરાવી દીધી કારણ કે પાડોસી દેશમાં ચૂંટણીમાં પાકિસ્તાન એક મુદ્દો છે.
રિયાદમાં ફ્યૂચર ઇન્વેસ્ટમેન્ટ ઇનીશિયેટિવ ફોરમને સંબોધિત કરતા ખાને કહ્યું કે પાકિસ્તાન પોતાના તમામ પાડોસી દેશો અને ખાસ કરીને ભારત અને અફઘાનિસ્તાન સાથે શાંતિ સ્થાપવા ઇચ્છે છે. સરકારી રેડિયો પાકિસ્તાને ખાનના હવાલાથી કહ્યું ભારતની સાથે શાંતિથી બન્ને દેશોને શસ્ત્ર સ્પર્ધાના બદલે પોતાના સંસાધનોનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવામાં મદદ મળશે.
અમારો પ્રયત્ન નિષ્ફળ રહ્યો
ઇમરાને કહ્યું કે આ રીતે અફઘાનિસ્તાનમાં શાંતિથી પાકિસ્તાને દ્વિપક્ષીય આર્થિક અને વેપારી ગતિવિધિઓ માટે મધ્ય એશિયાઇ દેશો સુધી સરળ પહોંચનો માર્ગ સારો રહેશે. ખાને કહ્યું કે તેમણે ભારત સાથે દોસ્તીનો પ્રસ્તાવ રાખ્યો હતો પરંતુ ભારતે ઠુકરાવી દીધો હતો.